ચોથી ટેસ્ટ અગાઉ રવિ શાસ્ત્રીના નિવેદન પર ગુસ્સે ભરાયો રોહિત, જુઓ શું કહ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ આજથી અમદાવાદમાં રમાય રહી છે. ભારતીય ટીમ આ સીરિઝમાં 2-1થી આગળ ચાલી રહી છે. ભારતને સીરિઝની ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મળેલી હાર બાદ ભારતીય ટીમની ખૂબ નિંદા કરવામાં આવી. ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ તો અહીં સુધી કહી દીધું હતું કે ભારતીય ટીમ થોડી ઓવરકોન્ફિડેન્સમાં હતી, જ્યાં તેમણે વસ્તુને નક્કી માની લીધી હતી.

હવે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ તેને લઈને જવાબ આપ્યો છે. રોહિત શર્માએ રવિ શાસ્ત્રીના એ નિવેદનને બકવાસ કરાર આપી દીધો, જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતીય ટીમ ઓવરકોન્ફિડેન્સના કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈન્દોર ટેસ્ટ મેચમાં હારી ગઈ હતી. રોહિત શર્માએ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અગાઉ કહ્યું કે, ઈમાનદારીથી કહું તો જ્યારે તમે બે મેચ જીતી જાઓ છો તો બાહ્ય લોકોને લાગે છે કે અમે ઓવરકોન્ફિડેન્સમાં છીએ. એ પૂરી રીતે બકવાસ છે કેમ કે તમે બધી મેચોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માગો છો.

રોહિત શર્માએ આગળ કહ્યું કે, તમે 2 મેચ જીતીને રોકાવા માગતા નથી. એ એટલું જ સરળ છે? નિશ્ચિત રૂપે એ બધા લોકો જ્યારે ઓવરકોન્ફિડેન્સની વાત કરે છે અને ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ ડ્રેસિંગ રૂમનો હિસ્સો હોતા નથી તો તેમને ખબર હોતી નથી કે ડ્રેસિંગ રૂમમાં કયા પ્રકારની ચર્ચા થઈ છે. રોહિત શર્માનો આ જવાબ એવા વ્યક્તિ માટે હતો જે અત્યાર સુધી ટ્રીમન મુખ્ય રણનીતિકાર હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમે બધી મેચોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માગીએ છીએ અને જો આ કોઈ બાહ્ય વ્યક્તિને ઓવરકોન્ફિડેન્સ કે એવું કંઈક લાગે છે તો તે વાસ્તવમાં અમારા માટે મહત્ત્વ ધરાવતું નથી.

રોહિત શર્માએ કહ્યું કે, રવિ શાસ્ત્રી પોતે આ ડ્રેસિંગ રૂમનો હિસ્સો રહી ચૂક્યા છે અને તેઓ જાણે છે કે જ્યારે અમે રમીએ છીએ તો અમારી પ્રાથમિકતા કયા પ્રકારની હોય છે. તે ઓવરકોન્ફિડેન્સ નહીં, પરંતુ નિર્મમ બનવા સાથે જોડાયેલું છે. નિર્મમ એવો શબ્દ છે જે દરેક ક્રિકેટરના મનમાં આવે છે અને જ્યારે વિરોધી ટીમ વિદેશ પ્રવાસ પર હોય તો તેને થોડો પણ ચાન્સ ન આપવા સાથે જોડાયેલો છે. જ્યારે અમે વિદેશનો પ્રવાસ કરીએ છીએ તો અમે પણ એવો અનુભવ કરીએ છીએ.

ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચ ભારતીય ટીમ માટે ખૂબ મહત્ત્વની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં ડાયરેક્ટ એન્ટ્રી મેળવવા માટે ભારતે આ મેચ જીતવી પડશે. નહીં તો તેણે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે થનારી ટેસ્ટ સીરિઝની રાહ જોવી પડશે. ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ક્વાલિફાઈ કરી ચૂકી છે. એવામાં ભારત કે શ્રીલંકામાંથી કોઈ એક ટીમ ફાઇનલમાં જઈ શકે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.