શું વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિન રમશે? કેપ્ટન રોહિત શર્માએ કહી આ વાત

વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઇ રહી છે. ભારતમાં આ ટૂર્નામેન્ટનું આયોજન થવા જઇ રહ્યું છે. તેને લઇ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ ટીમમાં ભારતના શ્રેષ્ઠ ઓફ સ્પિનર અશ્વીનને સિલેક્ટ કરવામાં આવ્યો નથી. જોકે, અક્ષર પટેલની ઈંજરી અશ્વિન માટે સારી ખબર સાબિત થઇ શકે છે. કેપ્ટન રોહિત શર્માએ ક્લિઅર કહ્યું કે ઓફ સ્પિનર માટે વર્લ્ડ કપના દરવાજા હજુ પણ બંધ થયા નથી.

અક્ષર પટેલની ફિટનેસ

એશિયા કપમાં ઈન્જર્ડ થયેલા અક્ષર પટેલની ફિટનેસને લઇ ભારતીય કેપ્ટને કહ્યું કે, મને અક્ષરની ઈંજરીને લઇ લાગે છે કે તે એક અઠવાડિયા કે 10 દિવસમાં રિકવર થઇ જશે. મને નથી ખબર. અમારે એ જોવાનું રહેશે કે ઈંજરી કેટલો સમય લે છે. અમુક ખેલાડીઓ જલ્દી રિકવર થઇ જાય છે અને હું આશા કરું છું કે અક્ષરની સાથે પણ આવું જ થાય. હું એ બાબતને લઇ આશ્વસ્ત નથી કે તે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી બે વનડે મેચમાં રમી શકશે કે નહીં.

શ્રેયસ અય્યર ફિટ છે કે નહી?

કેપ્ટન રોહિત શર્માએ શ્રેયસ અય્યરની ફિટનેસને લઇ પણ વાત કરી. તેણે કહ્યું કે, શ્રેયસ એશિયા કપની ફાઇનલ મેચ માટે અવેલેબલ નહોતો. કારણ કે તેના માટે અમુક પેરામીટર નક્કી કરવામાં આવ્યા હતા, જે તેણે પૂરા કરવાના હતા. મને લાગે છે કે ઘણી હદ સુધી તે અમુક વસ્તુઓને પૂરી કરવામાં સફળ પણ રહ્યો છે. હું હાલમાં એ કહી શકું છું કે તે 99 ટકા ફિટ છે. તે ફિટ દેખાઇ રહ્યો છે અને તેણે ઘણાં કલાકો બેટિંગ અને ફીલ્ડિંગ કરી છે. મને નથી લાગતું કે શ્રેયસની ફિટનેસ કોઇ ચિંતાની વાત છે.

શું અશ્વિનને મળશે વર્લ્ડ કપમાં તક?

એશિયા કપ 2023નું ટાઇટલ જીત્યા પછી કેપ્ટન રોહિત શર્માએ રવિચંદ્રન અશ્વિનના વર્લ્ડ કપમાં રમવાના ચાન્સને લઇ મોટું નિવેદન આપ્યું છે. રોહિતે પ્રેસ કોન્ફરેંસમાં કહ્યું કે, એક સ્પિન ઓલરાઉન્ડર તરીકે અશ્વિન હજુ પણ લાઇનમાં છે. હું સતત તેની સાથે ફોન પર વાત કરી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે, અશ્વિનનો રેકોર્ડ ભારતીય ધરતી પર ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે અને વર્લ્ડ કપમાં અશ્વિન ટીમ ઈન્ડિયા માટે હુકમનો એક્કો સાબિત થઇ શકે છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.