શું વર્લ્ડ કપમાં રવિચંદ્રન અશ્વિન રમશે? કેપ્ટન રોહિત શર્માએ કહી આ વાત

વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થઇ રહી છે. ભારતમાં આ ટૂર્નામેન્ટનું આયોજન થવા જઇ રહ્યું છે. તેને લઇ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ ટીમમાં ભારતના શ્રેષ્ઠ ઓફ સ્પિનર અશ્વીનને સિલેક્ટ કરવામાં આવ્યો નથી. જોકે, અક્ષર પટેલની ઈંજરી અશ્વિન માટે સારી ખબર સાબિત થઇ શકે છે. કેપ્ટન રોહિત શર્માએ ક્લિઅર કહ્યું કે ઓફ સ્પિનર માટે વર્લ્ડ કપના દરવાજા હજુ પણ બંધ થયા નથી.

અક્ષર પટેલની ફિટનેસ

એશિયા કપમાં ઈન્જર્ડ થયેલા અક્ષર પટેલની ફિટનેસને લઇ ભારતીય કેપ્ટને કહ્યું કે, મને અક્ષરની ઈંજરીને લઇ લાગે છે કે તે એક અઠવાડિયા કે 10 દિવસમાં રિકવર થઇ જશે. મને નથી ખબર. અમારે એ જોવાનું રહેશે કે ઈંજરી કેટલો સમય લે છે. અમુક ખેલાડીઓ જલ્દી રિકવર થઇ જાય છે અને હું આશા કરું છું કે અક્ષરની સાથે પણ આવું જ થાય. હું એ બાબતને લઇ આશ્વસ્ત નથી કે તે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી બે વનડે મેચમાં રમી શકશે કે નહીં.

શ્રેયસ અય્યર ફિટ છે કે નહી?

કેપ્ટન રોહિત શર્માએ શ્રેયસ અય્યરની ફિટનેસને લઇ પણ વાત કરી. તેણે કહ્યું કે, શ્રેયસ એશિયા કપની ફાઇનલ મેચ માટે અવેલેબલ નહોતો. કારણ કે તેના માટે અમુક પેરામીટર નક્કી કરવામાં આવ્યા હતા, જે તેણે પૂરા કરવાના હતા. મને લાગે છે કે ઘણી હદ સુધી તે અમુક વસ્તુઓને પૂરી કરવામાં સફળ પણ રહ્યો છે. હું હાલમાં એ કહી શકું છું કે તે 99 ટકા ફિટ છે. તે ફિટ દેખાઇ રહ્યો છે અને તેણે ઘણાં કલાકો બેટિંગ અને ફીલ્ડિંગ કરી છે. મને નથી લાગતું કે શ્રેયસની ફિટનેસ કોઇ ચિંતાની વાત છે.

શું અશ્વિનને મળશે વર્લ્ડ કપમાં તક?

એશિયા કપ 2023નું ટાઇટલ જીત્યા પછી કેપ્ટન રોહિત શર્માએ રવિચંદ્રન અશ્વિનના વર્લ્ડ કપમાં રમવાના ચાન્સને લઇ મોટું નિવેદન આપ્યું છે. રોહિતે પ્રેસ કોન્ફરેંસમાં કહ્યું કે, એક સ્પિન ઓલરાઉન્ડર તરીકે અશ્વિન હજુ પણ લાઇનમાં છે. હું સતત તેની સાથે ફોન પર વાત કરી રહ્યો છું.

ઉલ્લેખનીય છે કે, અશ્વિનનો રેકોર્ડ ભારતીય ધરતી પર ખૂબ જ પ્રભાવશાળી રહ્યો છે અને વર્લ્ડ કપમાં અશ્વિન ટીમ ઈન્ડિયા માટે હુકમનો એક્કો સાબિત થઇ શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.