ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં રોહિત ટીમમાં બદલાવ કરશે, આ ખેલાડીઓ બહાર થશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન-ડે સીરિઝની ત્રીજી મેચ 24 જાન્યુઆરીએ ઇંદોરમાં રમાવવાની છે. ટીમ ઇન્ડિયા 3 મેચની આ સીરિઝમાં બે મેચ જીતીને આમ તો સીરિઝ પોતાના નામે કરી જ લીધી છે, પરંતુ ત્રીજી મેચ જીતીને ટીમ ઇન્ડિયા ક્લીન સ્વીપ કરી શકે છે. એવા ધારણા રાખવામાં આવી રહી છે કે ટીમ ઇન્ડિયા ત્રીજી વન-ડેમાં ટીમમાં મોટા ફેરફાર કરી શકે છે. કેટલાંક મહત્ત્વના ખેલાડીઓને અંતિમ મેચમાં આરામ આપવામાં આવી શકે છે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બીજી વન-ડે પછી ઝડપી બોલરોના વખાણ કર્યા હતા. મોહમંદ શમી અને મોહમંદ સિરાજે તાજેતરમાં ભારતીટ ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પરંતુ ટીમ ઇન્ડિયાની નજર ઓસ્ટ્રેલિયાની સામે રમાનારી ટેસ્ટ સીરિઝ પર પણ છે. એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે મોહમંદ શમી અને મોંહમદ સિરાજ બંને ફાસ્ટ બોલર્સને ત્રીજી વન-ડેમાં આરામ આપવામાં આવી શકે છે.

ટીમ કોમમ્બિનેશને જોઇએ તો મોહમંદ શમી અને મોહમંદ સિરાજને ત્રીજી વન-ડેમાં આરામ આપવામાં આવી શકે છે, જેનું કારણ એવું છે કે ઓસ્ટ્રેલિયા સામે લાંબી ટેસ્ટ સીરિઝ રમવાની છે. મોહમંદ સિરાજ અને મોહમંદ શમીના સ્થાન પર પ્લેઇંગ-11માં ઉમરાન મલિક અને શહબાજ અહમદને ત્રીજી વન-ડેમાં ચાન્સ મળી શકે છે.

જો કે ટીમ ઇન્ડિયા કદાચ વધારે બદલાવ કરવા ઇચ્છશે નહીં, કારણ કે હજુ સુધી સીરિઝમા યુઝવેન્દ્ર ચહલને પણ તક મળી નથી. એવામાં પ્લેઇંગ-11માં ચહલને સામેલ કરવામાં આવી શકે છે. જો આમ થાય તો કુલદીપ યાદવ અથવા વોશિંગ્ટન સુંદરને આરામ આપવામાં આવી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીઓ હશે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત, હાર્દિક પંડ્યા, રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક

ટીમ ઇન્ડિયા હમણાં હમણાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં જ શ્રીલંકાની સામે T-20 અને વન-ડે સીરિઝ જીત્યા પછી ન્યૂઝીલેન્ડની સામે શરૂ થયેલી વન-ડે સીરિઝમાં પણ ભારતે બાજી મારી છે. પહેલી વન-ડે મેચ ભારતે 12 રનથી અને બીજી મેચ 8 વિકેટથી જીતી હતી. હવે 24 જાન્યુઆરીએ ઇંદોરમાં ત્રીજી વન-ડે રમાવવાની છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.