આર.પી.સિંહે જણાવ્યું- વર્લ્ડ કપ 2023મા નંબર 4 માટે બેસ્ટ ઓપ્શન કોણ છે?

પૂર્વ ફાસ્ટ બોલર આર.પી. સિંહે ભારતમાં રમાનારા આગામી વન-ડે વર્લ્ડ કપમાં શ્રેયસ ઐય્યરની સંભવિત અનુપસ્થિતિમાં બેટિંગમાં ચોથા ક્રમ પર સૂર્યકુમાર યાદવના ઉપયોગનું સમર્થન કર્યું. તેણે કહ્યું કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના આ વૈશ્વિક આયોજન અગાઉ તેને આ ક્રમમાં પૂરતા અવસર આપવામાં આવવા જોઈએ. ભારતીય ટીમને વર્ષ 2019ના વર્લ્ડ કપમાં ચોથા ક્રમ પર મજબૂત બેટ્સમેન ન હોવાનું પરિણામ ભોગવવું પડ્યું હતું. શ્રેયસ ઐય્યર ઇજાગ્રસ્ત હોવાના કારણે 4 વર્ષ બાદ ટીમ માટે આ મુદ્દો પરેશાનીનું કારણ છે.

સૂર્યકુમાર યાદવ અત્યાર સુધી વન-ડે ક્રિકેટમાં પોતાની T20ની ક્ષમતાનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યો છે. તેણે છેલ્લી 16 વન-ડે મેચોમાં કોઈ અડધી સદી બનાવી નથી. જો કે, આર.પી. સિંહનું કહેવું છે કે સૂર્યકુમાર યાદવના વિકલ્પને ફગાવવો મૂર્ખતાપૂર્ણ હશે. શ્રેયસ ઐય્યર સાથે સૂર્યકુમાર યાદવ નંબર-4 માટે એક સારો વિકલ્પ છે શરત સાથે કે તે ફિટ હોય, પરંતુ જો તમે તેને એક વિકલ્પના રૂપમાં પણ જોઈ રહ્યા છો તો તેની આગામી મેચોમાં ઉપયોગ મહત્ત્વપૂર્ણ હશે. તે નિશ્ચિત રૂપે એક સારો વિકલ્પ છે.

આર.પી. સિંહે Jio સિનેમા દ્વારા આયોજિત એક વાતચીત દરમિયાન કહ્યું કે, ‘સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી વન-ડે ક્રિકેટમાં પોતાની છાપ છોડી નથી, પરંતુ જે પ્રકારે તે બેટિંગ કરે છે અને જે પ્રકારનો તે બેટ્સમેન છે તે નંબર 4 કે 5 માટે એક સારો વિકલ્પ હોય શકે છે. મુખ્ય ટૂર્નામેન્ટ અગાઉ તમારી પાસે હંમેશાં વિકલ્પ હોવા જોઈએ. T20 ક્રિકેટમાં તેનું હાલનુ ફોર્મ ખૂબ સારું રહ્યું છે. વન-ડે ફોર્મેટ અલગ છે કેમ કે તમારી પાસે (સામનો કરવા માટે) વધુ સંખ્યામાં બૉલ હોય છે. આ કારણે તેણે પોતાની યોજનામાં બદલાવ કરવો પડશે.

ગત સીરિઝમાં સતત 3 વખત ડક અને વન-ડેમાં અત્યાર સુધી પોતાને ઢાળી ન શકવાના કારણે ફેન્સ ચિંતિત છે. પંજાબ કેસરી સાથે વાત કરતા આર.પી. સિંહે કહ્યું કે, સૂર્યકુમાર બેકઅપના રૂપમાં પણ ભૂમિકા ભજવી શકે છે. આમ પણ નંબર-4 માટે ટીમ પાસે વધુ ઓપ્શન નથી. સૂર્યકુમાર યાદવ જે કામ માટે જાણીતો છે, તે વન-ડેમાં આવવાનું બાકી છે, પરંતુ જે પ્રકારે તે બેટિંગ કરી રહ્યો છે, તેની પાસે નંબર-4 અને 5 પર બન્યા રહેવાનું ઓપ્શન છે અને જ્યારે તમે કોઈ મોટી પ્રતિયોગિતા અને ટૂર્નામેન્ટમાં જાવ છો તો તમારી પાસે બેકઅપ ઓપ્શન પણ હોવું જોઈએ જેથી કોઈ કારણસર કોઈ નથી રમતો તો બેકઅપમાં રાખેલો ખેલાડી તેનું કામ કરે છે.

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.