સાનિયા મિર્ઝાએ કરી સંન્યાસની જાહેરાત, આ કારણને લીધે નિર્ણય લીધો

દેશની સૌથી લોકપ્રિય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની જાહેરાત કરી છે. રિપોર્ટ અનુસાર, સાનિયા મિર્ઝાએ પોતાની ઈજાના કારણે નિવૃત્તિનો આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સાનિયા મિર્ઝાના છૂટાછેડાના સમાચાર આવ્યા હતા, પરંતુ બાદમાં આ બધું અફવા સાબિત થયું.

સાનિયા મિર્ઝાએ સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. તેણે જાહેરાત કરી છે કે તે છેલ્લી વખત કોર્ટમાં ક્યારે ઉતરશે. WTA વેબસાઈટ સાથે વાત કરતા ભારતીય ટેનિસ સ્ટારે કહ્યું કે ફેબ્રુઆરીમાં દુબઈમાં રમાનાર WTA 1000 ઈવેન્ટ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. સાનિયાએ કહ્યું કે સાચું કહું તો હું જે પ્રકારની વ્યક્તિ છું, મને મારી શરતો પર કામ કરવું ગમે છે. એટલા માટે હું ઈજાને કારણે બહાર થવા નહોતી માંગતી. તેથી જ હું ટ્રેનિંગ લઈ રહી છું.

વિશ્વની ભૂતપૂર્વ નંબર વન ડબલ્સ ખેલાડી 2022 ના અંતમાં જ સંન્યાસ લેવા માંગતી હતી, પરંતુ કોણીની ઈજાને કારણે તે યુએસ ઓપનનો ભાગ બની શકી ન હતી. ડબલ્સમાં 6 વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયા આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયન ઓપન રમશે, જે તેની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે. આ પછી, દુબઈમાં તે છેલ્લી વખત કોર્ટમાં ઉતરશે.

ગયા વર્ષે સાનિયાના પિતા ઈમરાન મિર્ઝાએ કહ્યું હતું કે વિબંલડન તેની છેલ્લી મેચ હશે, જ્યાં તે મિક્સ્ડ ડબલ્સની સેમિફાઈનલમાં હારી ગઈ હતી, પરંતુ તે પછી સાનિયાએ ઈજાના કારણે થોડા સમય માટે રિટાયરમેંટનો પ્લાન ટાળી દીધો હતો.

ભારતીય સ્ટારે કહ્યું કે મારા મગજમાં ઈમોશનલી રીતે એટલું આગળ વધવાની શક્તિ નથી. મેં 2003માં પ્રોફેશનલ ટેનિસમાં પગ મૂક્યો હતો. તેણે વધુમાં કહ્યું કે પ્રાથમિકતાઓ બદલાતી રહે છે અને હવે મારી પ્રાથમિકતામારા શરીરને દરરોજ સીમિત કરવાની નથી.

આ સાથે સાનિયા મિર્ઝાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે નિવૃત્તિ પછી શું કરવા જઈ રહી છે. ભારતીય સ્ટારે કહ્યું કે નિવૃત્તિ બાદ તે દુબઈમાં તેની એકેડમી પર ધ્યાન આપવા માંગે છે. સાનિયાએ ડબલ્સમાં 3 અને મિક્સ્ડ ડબલ્સમાં 3 ગ્રાન્ડસ્લેમ જીત્યા હતા. તો 2016 ઓલિમ્પિકમાં તે સેમિફાઇનલ સુધી પહોંચી હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.