IPL 2023મા શું છે રાજસ્થાન રોયલ્સની નબળાઇ? પૂર્વ બેટિંગ કોચે કર્યો ખુલાસો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રાજસ્થાન રોયલ્સ (RR) ટેબલ ટોપર બનીને સામે આવી છે. રાજસ્થાન રોયલ્સની ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં તેને 4  મેચમાં જીત અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બુધવારે રાજસ્થાન રોયલ્સની છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધ તેના ઘરેલુ મેદાન જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સને 155 રનોનો ટારગેટ મળ્યો હતો, જેને તે હાંસલ કરવામાં નિષ્ફળતા રહી અને મેચ 10 રનોથી હારી ગઈ હતી.

રાજસ્થાન રોયલ્સની આ હાર બાદ તેના પૂર્વ બેટિંગ કોચ અને ભારતીય ઘરેલુ ક્રિકેટના લીજેન્ડ અમોલ મજૂમદારે ટીમની સૌથી મોટી નબળાઈ બાબતે વાત કરી છે. અમોલ મજૂમદારે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે, રાજસ્થાન રોયલ્સ એવા બેટ્સમેનને મિસ કરી રહી છે, જે એવી પરિસ્થિતિમાં આવીને ટીમને સંભાળી શકે. આ જ કમી લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સની હારના મુખ્ય કારણોમાંથી એક રહી. તેમણે કહ્યું કે, એક હોય છે મસલ મેમોરી.

સંજુ સેમસન જેવો બેટ્સમેન એવી બાબતે શાનદાર ઉદાહરણ છે, જે બૉલને જુએ છે અને તેને હિટ કરે છે. તેને તેના પરિણામોની ચિંતા નથી. તે આધુનિક દુનિયાનો ક્રિકેટર્સ છે. સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને કેટલીક હદ સુધી દેવદત્ત પડિક્કલ પણ છે. તેમની પાસે કોઈ એવો ખેલાડી નથી જે એવી પીચ પર અને પરિસ્થિતિમાં પોતાને ઢાળી શકે અને એક અલગ રીતે ક્રિકેટ રમી શકે. તેમણે કહ્યું કે, સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં તમને મોટી મોટી ગેપ્સ મળે છે કેમ કે સ્ક્વેર બાઉન્ડ્રી મોટી હોય છે.

મજૂમદારે આગળ કહ્યું કે, તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. તમને ચારેય તરફ ગેપ મળશે. ઉલ્લેખનીય છે કે, લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધની મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ સુપર જાયન્ટ્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમની પહેલી વિકેટ 11.3 ઓવરમાં 87 રન પર પડી, પરંતુ ત્યારબાદ 104 રન સુધી ટીમે પોતાના મુખ્ય 4 બેટ્સમેન ગમાવી દીધા અને પછી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 144 રન જ બનાવી શકી. આ રીતે ટીમને પોતાના ઘરેલુ મેદાનમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.