IPL 2023મા શું છે રાજસ્થાન રોયલ્સની નબળાઇ? પૂર્વ બેટિંગ કોચે કર્યો ખુલાસો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રાજસ્થાન રોયલ્સ (RR) ટેબલ ટોપર બનીને સામે આવી છે. રાજસ્થાન રોયલ્સની ટીમે અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં તેને 4  મેચમાં જીત અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બુધવારે રાજસ્થાન રોયલ્સની છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વિરુદ્ધ તેના ઘરેલુ મેદાન જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સને 155 રનોનો ટારગેટ મળ્યો હતો, જેને તે હાંસલ કરવામાં નિષ્ફળતા રહી અને મેચ 10 રનોથી હારી ગઈ હતી.

રાજસ્થાન રોયલ્સની આ હાર બાદ તેના પૂર્વ બેટિંગ કોચ અને ભારતીય ઘરેલુ ક્રિકેટના લીજેન્ડ અમોલ મજૂમદારે ટીમની સૌથી મોટી નબળાઈ બાબતે વાત કરી છે. અમોલ મજૂમદારે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાત કરતા કહ્યું કે, રાજસ્થાન રોયલ્સ એવા બેટ્સમેનને મિસ કરી રહી છે, જે એવી પરિસ્થિતિમાં આવીને ટીમને સંભાળી શકે. આ જ કમી લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સની હારના મુખ્ય કારણોમાંથી એક રહી. તેમણે કહ્યું કે, એક હોય છે મસલ મેમોરી.

સંજુ સેમસન જેવો બેટ્સમેન એવી બાબતે શાનદાર ઉદાહરણ છે, જે બૉલને જુએ છે અને તેને હિટ કરે છે. તેને તેના પરિણામોની ચિંતા નથી. તે આધુનિક દુનિયાનો ક્રિકેટર્સ છે. સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને કેટલીક હદ સુધી દેવદત્ત પડિક્કલ પણ છે. તેમની પાસે કોઈ એવો ખેલાડી નથી જે એવી પીચ પર અને પરિસ્થિતિમાં પોતાને ઢાળી શકે અને એક અલગ રીતે ક્રિકેટ રમી શકે. તેમણે કહ્યું કે, સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં તમને મોટી મોટી ગેપ્સ મળે છે કેમ કે સ્ક્વેર બાઉન્ડ્રી મોટી હોય છે.

મજૂમદારે આગળ કહ્યું કે, તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. તમને ચારેય તરફ ગેપ મળશે. ઉલ્લેખનીય છે કે, લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધની મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનૌ સુપર જાયન્ટ્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમની પહેલી વિકેટ 11.3 ઓવરમાં 87 રન પર પડી, પરંતુ ત્યારબાદ 104 રન સુધી ટીમે પોતાના મુખ્ય 4 બેટ્સમેન ગમાવી દીધા અને પછી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 144 રન જ બનાવી શકી. આ રીતે ટીમને પોતાના ઘરેલુ મેદાનમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.