બીજી T20 અગાઉ સંજુ સેમસન સીરિઝથી બહાર, આ ખેલાડીની એન્ટ્રી, તમે ઓળખતા પણ નહીં હોવ

હાલમાં ભારત અને શ્રીલંકા વિરુદ્ધ 3 મેચોની T20 સીરિઝ રમાઈ રહી છે. T20 સીરિઝની બીજી મેચ પહેલા એક મોટું અપડેટ સામે આવ્યું છે. છેલ્લી 2 T20 મેચ માટે ભારતીય ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને ટીમના સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યો છે. તે સંજુ સેમસનની જગ્યા લેશે. એક ન્યૂઝ એજન્સી દ્વારા બુધવારે રાત્રે આ જાણકારી આપવામાં આવી હતી. મુંબઇમાં થયેલી પહેલી T20 મેચમાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ઇજા થઈ હતી.

સંજુ સેમસનને કેચ પકડતી વખત ઘૂંટણમાં ઇજા થઈ ગઈ હતી. આ કારણે તે ભારતીય ટીમ સાથે પૂણે ટ્રાવેલ કરી શક્યો નથી. ભારતીય ટીમમાં આ બદલાવ બીજી T20થી બરાબર 24 કલાક પહેલા કરવામાં આવ્યો છે. બીજી T20 મેચ 5 જાન્યુઆરી એટલે કે આજે પૂણેમાં રમાશે. મહારાષ્ટ્રથી આવતો 29 વર્ષીય જીતેશ શર્મા રણજી ટ્રોફીમાં વિદર્ભ તરફથી રમે છે. સાથે જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તે પંજાબ કિંગ્સ માટે શાનદાર બેટિંગ કરી ચૂક્યો છે. હવે તેને ભારતીય ટીમ માટે ચાન્સ મળી રહ્યો છે.

ફિનિશર તરીકે તેણે છેલ્લા કેટલાક સમયમાં ખૂબ ઇમ્પ્રુવ કર્યું છે અને જો તેને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળે છે તો ભારતીય ટીમ માટે તે આ રોલમાં ફિટ સાબિત થઈ શકે છે. સંજુ સેમસન પહેલી મેચમાં નિષ્ફળ સાબિત થયો હતો અને માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. જો જીતેશ શર્માના રેકોર્ડને જોઈએ તો તેણે 47 લિસ્ટ A મેચોમાં 1,350 રન બનાવ્યા છે, જ્યારે 76 T20 મેચોમાં તેના નામે 1,787 રન નોંધાયેલા છે. પહેલી T20 મેચમાં 2 રને જીતીને ભારતીય ટીમે 1-0થી સીરિઝમાં લીડ બનાવી લીધી છે. જો તે આજની મેચ જીતે છે તો સીરિઝ પોતાના નામે કરી લેશે. અને જો શ્રીલંકા આ મેચ જીતે છે તો સીરિઝ 1-1થી બરાબર થઈ જશે અને ત્યારબાદ ત્રીજી T20 મેચ નિર્ણાયક રહેશે.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેશ શર્મા, વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

શ્રીલંકાના ભારત પ્રવાસ પર T20 સીરિઝનું શિડ્યૂલ:

પહેલી T20 મેચ: 2 રનથી જીતી.

બીજી T20 મેચ: 5 જાન્યુઆરી, પૂણે.

ત્રીજી T20 મેચ: 7 જાન્યુઆરી, રાજકોટ.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.