'સરફરાઝ ખાનને છેતરવામાં આવ્યો', આકાશ ચોપરાએ પસંદગીકારો પર આકરા પ્રહારો કર્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે જ ન્યૂઝીલેન્ડ સામેની બે સફેદ બોલની ટેસ્ટ ટીમ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી. જ્યાં પૃથ્વી શૉની T20 ટીમમાં વાપસી થઈ છે, જેણે તાજેતરમાં રણજી ટ્રોફી મેચમાં 379 રનની ઈનિંગ રમી હતી. જ્યારે, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને ટેસ્ટ ટીમમાં જગ્યા મળી હતી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી રણજી ટ્રોફીમાં રનનો વરસાદ કરી રહેલા સરફરાઝ ખાનને સ્થાન મળ્યું નહોતું, તો સામાન્ય માણસથી લઈને ક્રિકેટના મહાન માણસો સુધી તેની પસંદગી કેમ ન થઇ તે ચર્ચાનો વિષય બની ગયો હતો. ગયા વર્ષે સરફરાઝ ખાને રણજી ટ્રોફીમાં 122.75ની એવરેજથી 982 રન બનાવ્યા હતા. જેમાં ચાર સદી અને બે અર્ધસદીનો પણ સમાવેશ થાય છે. આમાં તેનો 275 રનનો સર્વશ્રેષ્ઠ સ્કોર પણ સામેલ હતો. ભૂતપૂર્વ ઓપનર આકાશ ચોપરાએ સરફરાઝને અવગણવા બદલ પસંદગીકારોની આકરી ટીકા કરતાં કહ્યું કે, સરફરાઝને તેના શ્રેષ્ઠ સ્થાનિક ફોર્મ માટે પુરસ્કાર મળવો જોઈતો હતો.

ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, સરફરાઝને પસંદ ન થવાથી છેતરાયાનો અનુભવ થયો કારણ કે તેનું નામ સંભવિત ટીમમાં હોવું જોઈતું હતું. તેમણે કહ્યું કે, બુમરાહ હજુ પણ ટીમમાં નથી, પરંતુ મને વધુ ચિંતા છે કે સરફરાઝ ટીમમાં નથી. જ્યારે તમે સૂર્યકુમારને પસંદ કર્યો ત્યારે તેનો મતલબ હતો કે, ટીમમાં જગ્યા હતી અને મારા મતે સરફરાઝને ટીમમાં પસંદ કરવો જોઈતો હતો, કારણ કે તેની ફર્સ્ટ ક્લાસ એવરેજ 80 છે. સરફરાઝ સિવાય માત્ર સર ડોન બ્રેડમેન જ એવા બેટ્સમેન છે જેમની આટલી બધી મેચો રમ્યા પછી એવરેજ એંસી કે તેથી વધુની રહી હતી.

આકાશે કહ્યું કે, સરફરાઝે ભારતીય ટીમમાં સામેલ થવા માટે પોતાની શક્તિમાં હતું તે બધું જ કર્યું છે. હું થોડો નિરાશ છું, કારણ કે જો તમારે સૂર્યકુમાર અને સરફરાઝ વચ્ચે પસંદગી કરવાની હતી, તો સરફરાઝ અહીં પસંદ કરવાને લાયક છે. જો કોઈ ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટમાં આટલું સારું પ્રદર્શન કરી રહ્યો હોય તો તેને તેનું ઈનામ મળવું જોઈતું હતું. ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ માટેની ભારતીય ટીમ આ પ્રમાણે છે : રોહિત શર્મા (કેપ્ટન), KL રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, KA ભરત (વિકેટ-કીપર), ઈશાન કિશન (વિકેટ-કીપર), R. અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.