ધોનીના સન્યાસ અંગે સ્કોટ સ્ટાયરિસે આપી વણમાગ્યી સલાહ, જાણો શું કહ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે રમી ચૂકેલા ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસનું માનવું છે કે, મહેન્દ્ર સિંહ ધોની જ્યારે પણ સંન્યાસ લે, પોતાના નિર્ણયની જાહેરાત પહેલા જ કરી દે, જેથી તેને આખા દેશમાં ફેરવેલ ટૂરનો ચાંસ મળી શકે. મહેન્દ્ર સિંહ ધોનીને કોલકાતામાં જોરદાર સમર્થન મળ્યું અને લાગી રહ્યું હતું કે માનો કે તે ચેન્નાઈમાં રમી રહ્યા હોય. આ સમર્થનને જોઈને સ્કોટ સ્ટાયરિસે આ ટિપ્પણી કરી છે.

ચર્ચા ચાલી રહી છે કે મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી IPL હોય શકે છે. થોડા દિવસ અગાઉ દિગ્ગજ ખેલાડીએ પણ કહ્યું હતું કે, આ તેના કરિયરનું છેલ્લું ચરણ છે અને તે પૂરો લુપ્ત ઉઠાવી રહ્યો છે. આ કારણે ફેન્સ મહેન્દ્ર સિંહ ધોનીને જોવા માટે અલગ-અલગ જગ્યાઓના સ્ટેડિયામાં પહોંચીને તેનું સમર્થન નકરી રહ્યા છે. જિયો સિનેમા સાથે વાત કરતા સ્કોટ સ્ટાયરિસે કહ્યું કે, તેને આશા છે કે જ્યારે મહેન્દ્ર સિંહ ધોની સંન્યાસ લેવાનો નિર્ણય કરશે તો તેણે પોતાના નિર્ણયની પહેલા જ જાહેરાત કરી દેવી જોઈએ. જેથી ભારતના આસપાસ ફેરવેલ ટૂર કરી શકે.

તેણે કહ્યું કે, મને લાગે છે કે જો તે ડ્રેસિંગ રૂમમાં રહેવાથી પ્રેમ કરતો નહીં હોય તો તે હવે રમી રહ્યો ન હોત. મને આશા છે કે જ્યારે પણ તે બેટને રાખવાનો નિર્ણય લેશે, પછી તે અત્યારે હોય કે આગામી સીઝન કે થોડી સીઝન બાદ તેણે જાહેરાત કરી દેવી જોઈએ કેમ કે તે આખા દેશમાં ફેરવેલ ટૂરનો હકદાર છે. સ્કોટ સ્ટાયરિસે મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય ક્રિકેટ અને IPLનો મોટો સેવક બતાવ્યો. તેણે કહ્યું કે, તેનું યોગદાન ભારતીય અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ખૂબ મોટું રહ્યું છે.

સ્કોટ સ્ટાયરિસે આગળ કહ્યું કે, તે ભારતે ક્રિકેટ અને IPLનો મહાન સેવક રહ્યો છે. તેનાથી દરેકને ન માત્ર ભારતીય ક્રિકેટ માટે, પરંતુ વર્લ્ડ ક્રિકેટ માટે પણ મહેન્દ્ર સિંહ ધોનીના યોગદાન માટે તેના વખાણ કરવાનો અવસર મળશે. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ 2020માં જ અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો અને આ જ કારણે ફેન્સ પોતાના પસંદગીના ખેલાડીને ફેરવેલ ન આપી શક્યા, પરંતુ IPL 2023માં તેને દરેક જગ્યાએ સમર્થન મળી રહ્યું છે. હાલની સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ શાનદાર રીતે રમી રહી છે અને પોઇન્ટ્સ ટેબલમાં 10 પોઇન્ટ્સ સાથે ટોપ પર છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.