કોહલી - કુંબલે વિવાદ દરમિયાન શું-શું થયુ, સેહવાગે કર્યા ચોંકાવનારા ખુલાસા

ભારતીય ટીમના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે વિરાટ કોહલી- અનિલ કુંબલે વિવાદને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. સેહવાગે કહ્યું કે, પૂર્વ ભારતીય હેડ કોચ અનિલ કુંબલે સાથે વિવાદ બાદ કોહલીએ આ પદને અપનાવવા માટે તેનો સંપર્ક કર્યો હતો. સેહવાગે હેડ કોચ પદ માટે BCCI અધિકારીઓ સાથે થયેલી બેઠકનો ખુલાસો પણ કર્યો. જણાવી દઈએ કે, અનિલ કુંબલેને જૂન 2016માં ભારતીય ટીમના હેડ કોચ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ, તેનો કોન્ટ્રાક્ટ 2017 ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પૂર્ણ થઈ ગયો. કુંબલેએ 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે મળેલી હાર બાદ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું.

વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, તત્કાલીન BCCI સચિવ અમિતાભ ચૌધરીએ તેને કહ્યું કે, કોહલી અને કુંબલે વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને બોર્ડ ઈચ્છે છે કે, તે આ જવાબદારીને અપનાવી લે. સેહવાગે એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું હેડ કોચ પદ માટે અરજી ના કરતે જો વિરાટ કોહલી અને તત્કાલીન BCCI સચિવ અમિતાભ ચૌધરી મારો સંપર્ક ના કરતે.

તેણે આગળ કહ્યું, અમારી બેઠક થઈ. અમિતાભ ચૌધરીએ મને કહ્યું કે, વિરાટ કોહલી અને અનિલ કુંબલેની વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. અમે ઈચ્છીએ છીએ કે તમે કોચિંગની જવાબદારી લો. અમિતાભ ચૌધરીએ કહ્યું કે, ચેમ્પિયન્સ ટ્રોફી બાદ કુંબલેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે અને પછી તું ટીમ સાથે વેસ્ટ ઈન્ડિઝ જઈ શકે છે. યાદ કરાવી દઈએ કે, અનિલ કુંબલેની જગ્યાએ રવિ શાસ્ત્રીને હેડ કોચ બનાવવામાં આવ્યા હતા.

વીરેન્દ્ર સેહવાગને જ્યારે પૂછવામાં આવ્યું કે, ભારતીય ટીમની કેપ્ટનશિપ ના કરી તો તેનું કોઈ દુઃખ છે? તેના જવાબમાં પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે, તેમણે પોતાના કરિયરમાં જે પણ મેળવ્યું તેનાથી તેઓ ખુશ છે. સેહવાગે કહ્યું કે, ભારતીય ટીમની કેપ્ટનશિપ ના કરવાનું કોઈ દુઃખ નથી. મેં જે મેળવ્યું છે, તેનાથી હું ખુશ છું.

વીરુએ આગળ કહ્યું કે, નઝફગઢના નાનકડા પરિવારમાંથી આવ્યો અને મને ભારત માટે રમવાની તક મળી. મને ફેન્સનો ઘણો બધો પ્રેમ મળ્યો અને સમર્થન મળ્યું. જો હું ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરતે તો પણ મને આ પ્રકારનું સન્માન ના મળતે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.