પાકિસ્તાન ક્રિકેટમાં હાહાકાર, પાક.ખેલાડીએ કહ્યું- PCB નથી ઇચ્છતું કે અમે જીતીએ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ વન-ડે વર્લ્ડ કપ 2023માં આશા મુજબ પ્રદર્શન કરી શકી નથી. બાબર આઝમની આગેવાનીમાં ટીમ અત્યાર સુધી 6માંથી માત્ર 2 મેચ જ જીતી શકી છે. આ દરમિયાન પાકિસ્તાનના સીનિયર ખેલાડીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCBને સવાલોના ઘેરામાં ઊભું કર્યું છે. ખેલાડીનું કહેવું છે કે, બોર્ડ નથી ઇચ્છતું કે અમે જીતીએ. પાકિસ્તાની ટીમનું સેમીફાઇનલમાં જવાનું ખૂબ મુશ્કેલ છે. તેને અફઘાનિસ્તાન જેવી નબળી ટીમ સામે પણ હારનો સામનો કરવું પડ્યું.

પાકિસ્તાની ટીમ પોતાની સાતમી મેચમાં 31 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ઉતરશે. આ મેચ ઇડન ગાર્ડન્સમાં રમાવાની છે. Cricbuzzના રિપોર્ટ મુજબ, પાકિસ્તાની ટીમના એક સીનિયર ખેલાડીએ કહ્યું કે, બોર્ડ ઈચ્છે છે કે ટીમ નિષ્ફળ થાય. તે નથી ઇચ્છતું કે અમે વર્લ્ડ કપ જીતીએ, જેથી તે ટીમમાં બદલાવ કરી શકે અને ખેલાડીઓને કંટ્રોલ કરી શકે. તેનાથી તે પોતાના હિસાબે ટીમને ચલાવી શકશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગત દિવસોમાં એક રીલિઝ જાહેર કરી હતી.

તેમાં કહેવામાં આવ્યું હતું કે, ચીફ સિલેક્ટર ઇંઝમામ ઉલ અને કેપ્ટન બાબર આઝમને ટીમ પસંદ કરવાની પૂરી આઝાદી આપવામાં આવી હતી. પાકિસ્તાન ખેલાડીએ કહ્યું કે, ટીમની અંદર ખેલાડીઓ વચ્ચે જે દલિલ કે અસહમતી થાય છે, તે ખૂબ સામાન્ય છે. અમે એટલા પરિપક્વ છીએ કે તેને પહોંચીવળી શકીએ છીએ. અમને બાહ્ય હસ્તક્ષેપની જરૂરિયાત નથી. અમે સમજીએ છીએ કે વર્લ્ડ કપ અમારા માટે શું મહત્ત્વ ધરાવે છે અને તેને જીતવા માટે અમારે એક સાથે રમવું પડશે, પરંતુ જો બોર્ડના કેટલાક સ્વાર્થી લોકો અમારી વાતો લીક કરે છે તો તેની અસર ટીમ પર પડે છે.

ખેલાડીએ આગળ કહ્યું કે, અમે બધા વિવાદથી દૂર રહેવા માગીએ છીએ. સોશિયલ મીડિયા પર પૂર્વ ક્રિકેટર્સની નિંદાની પણ અમારા પર અસર થાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા લેટર જાહેર કરવું ક્યાંયથી પણ સારું નથી. જો કેપ્ટન કે સિલેક્ટરથી ટીમ ન પસંદ થઈ તો કોણે કરી? ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ માટે ટીમ જાહેર થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન જકા અશરફે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ઉપ કેપ્ટન સહિત ખેલાડી સારું પ્રદર્શન કરતા નથી, તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.