પાકિસ્તાની ક્રિકેટરનું છલકાયું દર્દ, બોલ્યો- ભારતમાં અમને સપોર્ટ નહીં મળે એટલે..

ભારતની મેજબાનીમાં આ વર્ષે 5 ઑક્ટોબરના રોજ વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવાની છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટમાં સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે, જે 14 ઓકટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન સરકારે ભારત પ્રવાસ માટે પોતાની ટીમને મંજૂરી આપી દીધી છે, પરંતુ અહીં ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર એ હશે કે તેમને ભારતમાં વધારે સપોર્ટ નહીં મળી શકે.

આ વાત પોતે પાકિસ્તાની ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાદાબ ખાને પણ માની છે. શાદાબે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પાકિસ્તાન માટે વર્લ્ડ કપ રમવો ગર્વની વાત હશે. મને લાગે છે કે, ઘણા ખેલાડી હશે જે પહેલી વખત ભારત જઈ રહ્યા હશે. અત્યારે ટીમની જાહેરાત થઈ નથી, પરંતુ અમે એ (એશિયા કપના) હિસાબે જોઈ શકીએ છીએ. ઘણી વસ્તુ બદલાઈ પણ શકે છે. મને લાગે છે કે પાકિસ્તાન ટીમાં જેટલા પણ ખેલાડી રિપ્લેસ કરવામાં આવ્યા છે તેઓ ભારતમાં રમ્યા નથી.

શાદાબ ખાને કહ્યું કે, નિશ્ચિત રૂપે અમને ખબર છે કે ત્યાં (ભારતમાં) અમને દર્શકોનો સપોર્ટ નહીં મળે. એ હિસાબે અમારે મેન્ટલી ખૂબ સ્ટ્રોંગ થવું પડશે. અમારી પાસે જેટલા ખેલાડી છે, તેઓ મેન્ટલી સ્ટ્રોંગ છે, તો આ ટૂર્નામેન્ટ શાનદાર થવાનું છે. ભારતમાં જઈને પ્રદર્શન કરવા પર શાદાબ ખાને કહ્યું કે, બિલકુલ આ વર્લ્ડ કપ અને ભારત-પાકિસ્તાન મેચની પહેલાથી જ હાઇપ બની ચૂકી છે. બધી મેચ જ ભારતમાં રમાવાની છે તો ત્યાં એન્જોઈ કરીશું. વર્લ્ડ કપ જીતવાની વાત કરતા તેણે કહ્યું કે, એ સોના પર સુહાગો થઈ જશે.

જે પણ ટીમ આવશે તે ટૂર્નામેન્ટ જીતવા માટે જ આવશે. વાત એ જ છે કે ટીમ તરીકે તમે કેવી રીતે રમો છો. તમારે દરેક ટીમ સાથે રમવું પડશે. દરેક ટીમ ટૂર્નામેન્ટ જીતવા માટે જ આવશે, પરંતુ જે સારું રમશે એ જ જીતશે. મુખ્ય પ્રતિદ્વંદ્વી ભારતીય ટીમને પોતાના ઘરેલુ મેદાનનો ફાયદો મળશે? તેના પર શાદાબે કહ્યું કે, જુઓ આ સવાલ તો બનતો જ નથી. તમને ખબર છે કે તમે પણ ઇચ્છશો કે જે પણ હોય તમને ભારતથી તો જીતવું જ જોઈએ. આખું પાકિસ્તાન પણ એ જ ઈચ્છે છે કે ભારત સામે જીતવું જોઈએ. મારું પર્સનલ મંતવ્ય છે કે નિશ્ચિત રૂપે અમે ભારત સામે જીતવા માગીશું. ભારત સામે જીતી શકતા નથી તો અમારું મુખ્ય લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનું હશે.

About The Author

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.