પાકિસ્તાની ક્રિકેટરનું છલકાયું દર્દ, બોલ્યો- ભારતમાં અમને સપોર્ટ નહીં મળે એટલે..

ભારતની મેજબાનીમાં આ વર્ષે 5 ઑક્ટોબરના રોજ વન-ડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત થવાની છે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટમાં સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે, જે 14 ઓકટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પાકિસ્તાન સરકારે ભારત પ્રવાસ માટે પોતાની ટીમને મંજૂરી આપી દીધી છે, પરંતુ અહીં ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર એ હશે કે તેમને ભારતમાં વધારે સપોર્ટ નહીં મળી શકે.

આ વાત પોતે પાકિસ્તાની ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાદાબ ખાને પણ માની છે. શાદાબે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પાકિસ્તાન માટે વર્લ્ડ કપ રમવો ગર્વની વાત હશે. મને લાગે છે કે, ઘણા ખેલાડી હશે જે પહેલી વખત ભારત જઈ રહ્યા હશે. અત્યારે ટીમની જાહેરાત થઈ નથી, પરંતુ અમે એ (એશિયા કપના) હિસાબે જોઈ શકીએ છીએ. ઘણી વસ્તુ બદલાઈ પણ શકે છે. મને લાગે છે કે પાકિસ્તાન ટીમાં જેટલા પણ ખેલાડી રિપ્લેસ કરવામાં આવ્યા છે તેઓ ભારતમાં રમ્યા નથી.

શાદાબ ખાને કહ્યું કે, નિશ્ચિત રૂપે અમને ખબર છે કે ત્યાં (ભારતમાં) અમને દર્શકોનો સપોર્ટ નહીં મળે. એ હિસાબે અમારે મેન્ટલી ખૂબ સ્ટ્રોંગ થવું પડશે. અમારી પાસે જેટલા ખેલાડી છે, તેઓ મેન્ટલી સ્ટ્રોંગ છે, તો આ ટૂર્નામેન્ટ શાનદાર થવાનું છે. ભારતમાં જઈને પ્રદર્શન કરવા પર શાદાબ ખાને કહ્યું કે, બિલકુલ આ વર્લ્ડ કપ અને ભારત-પાકિસ્તાન મેચની પહેલાથી જ હાઇપ બની ચૂકી છે. બધી મેચ જ ભારતમાં રમાવાની છે તો ત્યાં એન્જોઈ કરીશું. વર્લ્ડ કપ જીતવાની વાત કરતા તેણે કહ્યું કે, એ સોના પર સુહાગો થઈ જશે.

જે પણ ટીમ આવશે તે ટૂર્નામેન્ટ જીતવા માટે જ આવશે. વાત એ જ છે કે ટીમ તરીકે તમે કેવી રીતે રમો છો. તમારે દરેક ટીમ સાથે રમવું પડશે. દરેક ટીમ ટૂર્નામેન્ટ જીતવા માટે જ આવશે, પરંતુ જે સારું રમશે એ જ જીતશે. મુખ્ય પ્રતિદ્વંદ્વી ભારતીય ટીમને પોતાના ઘરેલુ મેદાનનો ફાયદો મળશે? તેના પર શાદાબે કહ્યું કે, જુઓ આ સવાલ તો બનતો જ નથી. તમને ખબર છે કે તમે પણ ઇચ્છશો કે જે પણ હોય તમને ભારતથી તો જીતવું જ જોઈએ. આખું પાકિસ્તાન પણ એ જ ઈચ્છે છે કે ભારત સામે જીતવું જોઈએ. મારું પર્સનલ મંતવ્ય છે કે નિશ્ચિત રૂપે અમે ભારત સામે જીતવા માગીશું. ભારત સામે જીતી શકતા નથી તો અમારું મુખ્ય લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનું હશે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.