આફ્રિદી કેમ બોલ્યો- BCCI સામે ICC પણ કંઈ નહીં કરી શકે

પાકિસ્તાન તરફથી સતત ધમકીઓ મળ્યા બાદ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એશિયા કપને લઈને પોતાના મંતવ્ય પર અડગ અને કાયેમ છે. ભરતી ટીમ ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ વન-ડે વર્લ્ડ કપ બહિષ્કાર કરવા સુધીની ધમકી આપી નાખી છે, પરંતુ BCCI તેની વાતો પર મહત્ત્વ આપી રહ્યું નથી. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ કહ્યું કે, પાકિસ્તાને તેની વિરુદ્ધ ઊભું થવું જોઈએ. તેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ભૂમિકા મહત્ત્વની થઈ જાય છે, પરંતુ તે પણ કંઈ નહીં કરી શકે.

હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના મધ્યસ્થ સિલેક્ટર રહેલા શાહિદ આફ્રિદીને એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર એશિયા કપ 2023ને લઈને ભારતના વિચારો પર સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, જો કોઈ પોતાના પગ પર ઊભું થઈ શકતું નથી તો પછી આ પ્રકારના સખત નિર્ણય લેવાનું સરળ હોતું નથી. તેમણે ઘણી વસ્તુ જોવાની હોય છે. ભારત જો આંખો દેખાડી રહ્યું છે કે એટલું સખત સ્ટેન્ડ લઈ રહ્યું છે તો તેણે પોતાને એટલું મજબૂત બનાવી લીધું છે એટલે તે આ પ્રકારની વાત કરી શકે છે, નહીં તો તેની હિંમત ન થતી.

કુલ મળીને વાત એ છે કે તમારે પોતાને મજબૂત બનાવવાના છે અને પછી નિર્ણય લેવાનો છે. શાહિદ આફ્રિદીએ આગળ કહ્યું કે, મને નથી લાગતું કે ભારત એશિયા કપ માટે પાકિસ્તાન આવશે. શું આપણે ભારતમાં થનારા વન-ડે વર્લ્ડ કપનો બહિષ્કાર કરીશું? પરંતુ આપણે ક્યારેક ને ક્યારેક સ્ટેન્ડ લેવાની જરૂરિયાત હતી. એવામાં ICCની ભૂમિકા મહત્ત્વપૂર્ણ થઈ જાય છે, તેણે આગળ આવવું જોઈએ, પરંતુ હું કહી દઉં કે BCCI સામે ICC પણ કંઈ નહીં કરી શકે.

હાલમાં જ ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ પોતાની યુટ્યુબ ચેનલ પર તેને લઈને પોતાનો વિચાર રાખ્યો હતો. તેણે કહ્યું હતું કે, એશિયા કપ પાકિસ્તાનમાં થવાનો હતો, પરંતુ ભારતે જાહેરાત કરી હતી કે જો તે પાકિસ્તાનમાં થાય છે, તો અમે તેમાં હિસ્સો નહીં લઈએ. જો તમે ઈચ્છો છો કે અમે હિસ્સો લઈએ તો વેન્યુ બદલો, પરંતુ આપણે એમ ઘણી વખત થતા જોયું છે.

જ્યારે આપણે કહીએ છીએ કે, અમે તેમને ત્યાં નહીં જઈએ તો તેઓ કહેશે કે તેઓ પણ આપણે ત્યાં નહીં આવે. આ પ્રકારે પાકિસ્તાને કહ્યું છે કે, તે પણ વર્લ્ડ કપ માટે નહીં આવે, પરંતુ મને લાગે છે કે એ સંભવ નથી. છેલ્લો નિર્ણય એશિયા કપ શ્રીલંકામાં થઈ શકે છે. તે 50 ઓવરના વર્લ્ડ કપ માટે એક મહત્ત્વપૂર્ણ લીડ અપ છે. દુબઈમાં ટૂર્નામેન્ટ થઈ ચૂક્યું છે. જો તેને શ્રીલંકા લઈ જવામાં આવે છે તો મને ખુશી થશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.