એશિયા કપ અગાઉ બાંગ્લાદેશને મળી ગયો નવો કેપ્ટન, સૌથી સફળ ખેલાડીને જવાબદારી

ICC વન-ડે વર્લ્ડ કપની શરૂઆતમાં હવે 2 મહિના કરતા પણ ઓછો સમય બચ્યો છે. વન-ડે વર્લ્ડ કપ 5 ઑક્ટોબરથી લઈને 19 સપ્ટેમ્બર સુધી ભારતના ઘર આંગણે રમાવાનો છે. પહેલી વખત એમ થવા જઈ રહ્યું છે કે, ભારત એકલું જ વન-ડે વર્લ્ડ કપની મેજબની કરશે. આ અગાઉ તેણે વર્ષ 1987, 1996 અને વર્ષ 2011ના ટૂર્નામેન્ટની સંયુક્ત મેજબની કરી હતી. વન-ડે વર્લ્ડ કપ અગાઉ એશિયા કપનું આયોજન પણ થવાનું છે. આ વખત એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકાની સંયુક્ત મેજબનીમાં 31 ઑક્ટોબરથી રમાશે.

આ બે મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટો અગાઉ બાંગ્લાદેશ ક્રિકેટમાં મોટો બદલાવ જોવા મળ્યો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપ માટે વન-ડે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. શાકિબ અલ હસન એશિયા કપ અને વન-ડે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશી ટીમનું નેતૃત્વ કરશે. 36 વર્ષીય ખેલાડી શાકિબ અલ હસને તમીમ ઇકબાલની જગ્યા લીધી છે. જેણે વન-ડે ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમૂલ હસને કહ્યું કે, શાકિબ અલ હસન એશિયા કપ, ન્યૂઝીલેન્ડ સીરિઝ અને વર્લ્ડ કપ માટે કેપ્ટન તરીકે રહેવાનો છે. જ્યારે તે લંકા પ્રીમિયર લીગ બાદ બાંગ્લાદેશ ફરશે તો અમે તેને વાત કરીશું. અમારે દીર્ઘકાલીન યોજનાને જાણવી પડશે. મેં કાલે તેની સાથે ફોન પર વાત કરી હતી, પરંતુ સારું હશે કે અમે તેની સાથે વ્યક્તિગત રૂપે વાત કરીએ, તે આ સમયે ફ્રેન્ચાઇઝી લીગમાં વ્યસ્ત છે. જોવા જઈએ તો શાકિબ અલ હસન હવે ત્રણેય ફોર્મેટમાં બાંગ્લાદેશી ટીમનો કેપ્ટન છે.

જ્યારે શાકિબ પહેલી વખત કેપ્ટન બન્યો હતો ત્યારે તેણે વર્ષ 2009-11 દરમિયાન કુલ 49 વન-ડે મેચોમાં બાંગ્લાદેશનું નેતૃત્વ કર્યું અને 22 મેચોમાં ટીમને જીત અપાવી. પછી શાકીબે વર્ષ 2015-17 દરમિયાન પણ મશરફે મુર્તઝાની અનુપસ્થિતિમાં 3 વન-ડે મેચોમાં બાંગ્લાદેશની કેપ્ટન્સી કરી. શાકિબે અત્યારે સુધી 19 ટેસ્ટ, 52 વન-ડે અને 39 T20 મેચોમાં બાંગ્લાદેશની કેપ્ટન્સી કરી છે. નજમૂલ હસને આગળ કહ્યું કે, એશિયા કપ માટે પસંદ થનારી ટીમ વર્લ્ડ કપ જેવી જ હશે. અમારી પાસે માત્ર એક સ્પોટ ખાલી છે.

તેમણે કહ્યું કે, અમે અત્યારે પણ તમીમ ઇકબાલ બાબતે બતાવી શકતા નથી, જે પીઠની ઇજાથી બહાર આવી રહ્યો છે. અમે એશિયા કપમાં એક કે બે ઑપનર બેટ્સમેનોને પારખી શકીએ છીએ. ઓપનર બેટ્સમેન તમીમ ઇકબાલ ઇજાના કારણે થોડા દિવસ અગાઉ જ વન-ડે ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી. તેણે 30 ઑગસ્ટથી શરૂ થનારા એશિયા કપથી બહાર થઈ ચૂક્યો છે. જો કે, તમીમને આશા છે કે તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 21 સપ્ટેમ્બરથી શરૂ થતી વન-ડે સીરિઝ અને ત્યારબાદ થનારા વન-ડે વર્લ્ડ કપ માટે સમય પર ફિટ થઈ જશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.