ટીમમાંથી બહાર થવા પર છલકાયું શિખર ધવનનું દર્દ, બોલ્યો- ભગવાનની મરજી...

શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ બહાર કર્યા બાદ અનુભવી ઓપનર બેટ્સમેન શિખર ધવને પહેલી વખત પોતાના દિલની વાત કહી છે. શિખર ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેની સાથે તેનું કેપ્શન હતું ‘તમે તમારું કામ કરતા રહો, બાકી ભગવાનની મરજી પર છોડી દો.’ જો કે, શિખર ધવને આ પોસ્ટને થોડા સમય બાદ હટાવી દીધી, પરંતુ આ વીડિયોથી સ્પષ્ટ ખબર પડે છે કે, ટીમાંથી બહાર કરવાના કારણે તે ખૂબ નિરાશ છે.

શિખર ધવન વર્ષ 2023માં થનારા વર્લ્ડ કપ માટે ઓપનર તરીકે ભારતીય ટીમની પહેલી પસંદ માનવામાં આવી રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું ફોર્મ તેનો સાથ આપી રહ્યું નથી. એવામાં હવે શ્રીલંકા વિરુદ્ધ T20 અને વન-ડે સીરિઝમાં શિખર ધવનની જગ્યાએ શુભમન ગિલને ચાન્સ આપવામાં આવ્યો છે. શિખર ધવન વર્ષ 2022માં એ ખેલાડીઓમાં સામેલ રહ્યો છે, જેને શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટીમનું કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ટીમમાં તેની જગ્યા બની શકતી નથી.

તેની સાથે જ હવે એમ માનવામાં આવી રહ્યું છે કે વન-ડે વર્લ્ડ કપ માટે પણ તેના નામ પર કદાચ જ વિચાર કરવામાં આવશે. આ વર્ષે શિખર ધવનના પ્રદર્શન પર નજર નાખીએ તો તે ભારતીય ટીમ માટે કુલ 22 વન-ડે મેચ રમી છે, જેમાં તે માત્ર 688 રન જ બનાવી શક્યો છે. તેમાં તેના ખાતામાં એક પણ સદી નથી. તો તેની તુલનામાં શુભમન ગિલને આ વર્ષે 12 વન-ડેમાં રમવાનો ચાન્સ મળ્યો છે, જેમાં તેમણે 70.88ની શાનદાર એવરેજથી 638 રન બનાવ્યા છે. એવામાં આ વર્ષે શુભમન ગિલ વર્ષ 2022માં શિખર ધવનથી ઘણો સારો રહ્યો. કદાચ આ જ કારણ છે કે ટીમ મેનેજમેન્ટ તેને આગામી મોટા ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખતા વધારેમાં વધારે ચાન્સ આપવા માગે છે.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશ, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, કે.એલ. રાહુલ, ઇશાન કિશન, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.