ટીમમાંથી બહાર થવા પર છલકાયું શિખર ધવનનું દર્દ, બોલ્યો- ભગવાનની મરજી...

શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ બહાર કર્યા બાદ અનુભવી ઓપનર બેટ્સમેન શિખર ધવને પહેલી વખત પોતાના દિલની વાત કહી છે. શિખર ધવને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેની સાથે તેનું કેપ્શન હતું ‘તમે તમારું કામ કરતા રહો, બાકી ભગવાનની મરજી પર છોડી દો.’ જો કે, શિખર ધવને આ પોસ્ટને થોડા સમય બાદ હટાવી દીધી, પરંતુ આ વીડિયોથી સ્પષ્ટ ખબર પડે છે કે, ટીમાંથી બહાર કરવાના કારણે તે ખૂબ નિરાશ છે.

શિખર ધવન વર્ષ 2023માં થનારા વર્લ્ડ કપ માટે ઓપનર તરીકે ભારતીય ટીમની પહેલી પસંદ માનવામાં આવી રહ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું ફોર્મ તેનો સાથ આપી રહ્યું નથી. એવામાં હવે શ્રીલંકા વિરુદ્ધ T20 અને વન-ડે સીરિઝમાં શિખર ધવનની જગ્યાએ શુભમન ગિલને ચાન્સ આપવામાં આવ્યો છે. શિખર ધવન વર્ષ 2022માં એ ખેલાડીઓમાં સામેલ રહ્યો છે, જેને શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ટીમનું કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ટીમમાં તેની જગ્યા બની શકતી નથી.

તેની સાથે જ હવે એમ માનવામાં આવી રહ્યું છે કે વન-ડે વર્લ્ડ કપ માટે પણ તેના નામ પર કદાચ જ વિચાર કરવામાં આવશે. આ વર્ષે શિખર ધવનના પ્રદર્શન પર નજર નાખીએ તો તે ભારતીય ટીમ માટે કુલ 22 વન-ડે મેચ રમી છે, જેમાં તે માત્ર 688 રન જ બનાવી શક્યો છે. તેમાં તેના ખાતામાં એક પણ સદી નથી. તો તેની તુલનામાં શુભમન ગિલને આ વર્ષે 12 વન-ડેમાં રમવાનો ચાન્સ મળ્યો છે, જેમાં તેમણે 70.88ની શાનદાર એવરેજથી 638 રન બનાવ્યા છે. એવામાં આ વર્ષે શુભમન ગિલ વર્ષ 2022માં શિખર ધવનથી ઘણો સારો રહ્યો. કદાચ આ જ કારણ છે કે ટીમ મેનેજમેન્ટ તેને આગામી મોટા ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખતા વધારેમાં વધારે ચાન્સ આપવા માગે છે.

T20 સીરિઝ માટે ભારતીય ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ (ઉપકેપ્ટન), ઇશાન કિશ, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી અને મુકેશ કુમાર.

વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, કે.એલ. રાહુલ, ઇશાન કિશન, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.