શિખર ધવન 3 વર્ષ બાદ તેના દીકરાને મળશે, કોર્ટે પત્નીને આ આદેશ આપ્યા

ભારતીય સ્ટાર ક્રિકેટર શિખર ધવન અને તેની પત્ની આયશા વચ્ચે છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. બન્ને વચ્ચે આ કેસ 2021થી ચાલી રહ્યો છે. જ્યારે, શિખર ધવન અને આયશા 2020થી જ અલગ રહી રહ્યા છે. ધવને પોતાના દીકરા જોરાવર સાથે પણ ઓગષ્ટ, 2020 પછી મુલાકાત નથી કરી. પણ હવે ધવન માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પટિયાલા હાઉસ કોર્ટે આયશાને કહ્યું કે, તે પોતાના 9 વર્ષના દીકરાને ધવન અને તેના પરિવાર સાથે મુલાકાત કરવા માટે ભારત લઇને આવે.

હાલના દિવસોમાં આયશા પોતાના દીકરા સાથે ઓસ્ટ્રેલિયામાં રહી રહી છે. કોર્ટે દીકરાની ધવનના પરિવાર સાથે મુલાકાત પર આયશાના ઇનકાર પર નારાજગી પણ વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, ઓગષ્ટ, 2020 બાદથી શિખર ધવનનો પરિવાર જોરાવરને મથી મળ્યો. સંતાન પર ફક્ત માતાનો અધિકાર નથી હોતો. જો શિખર ધવન અત્યાર સુધી સારો પિતા સાબિત થયો છે તો પછી તે સંતાનની પરિવાર સાથે મુલાકાત પર નારાજગી કેમ વ્યક્ત કરી રહી છે.

શિખર ધવન પરમેનન્ટ કસ્ટડી નથી માગી રહ્યો. તે ફક્ત પોતાના દીકરાને જોવા અને મળીને મુલાકાત કરવા માગે છે. કોર્ટે આયશા ધવનને નિર્દેશ કર્યો છે કે, ધવન પરિવાર સાથે મુલાકાત કરાવવા માટે સંતાનને પોતાની સાથે લઇને ભારત આવે કે પછી વિશ્વાસ પાત્ર વ્યક્તિ સાથે ભારત મોકલે.

28મી જૂનના રોજ 10 વાગે સંતાનની કસ્ટડી દિલ્હીમાં ધવન પરિવારને સોંપવામાં આવશે. જો આયશા માટે કોઇ પ્રકારે એ સંભવ નથી તો આ આદેશના 72 કલાકમાં પોતાની અસમર્થતા વ્યક્ત કરી શકે છે. આ પરિસ્થિતિમાં શિખર ધવન ઓસ્ટ્રેલિયાથી જોરાવરને લઇને આવશે અને જોરાવરની ભારત યાત્રા માટે વીઝા કે જરૂરી ક્લીયરન્સ હાંસલ કરવાની જવાબદારી હશે. એ રીતે તૈયારી કરવામાં આવશે કે જોરાવર 27મી જૂરના રોજ ભારત આવે અને 4થી જુલાઇના રોજ પાછો ઓસ્ટ્રેલિયા ચાલ્યો જાય. યાત્રાનો બધો ખર્ચ શિખર ધવન કરશે.

કહેવાય છે કે, શિખર ધવને આયશાને હરભજન સિંહની ફેસબુક ફ્રેન્ડલિસ્ટમાં જોઇ હતી અને ત્યારથી જ તેના પર તે ફિદા થઇ ગયો હતો. ત્યાર બાદ શિખરે આયશાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. બન્ને વચ્ચે વાતચીત થઇ અને ફેસબુક પર જ બન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો. શિખર ઉંમરમાં આયશાથી 10 વર્ષ નાનો છે.

2009માં બન્નેએ સગાઇ કરી હતી. ત્યાર બાદ, 2012માં ધવને આયશા સાથે લગ્ન કર્યા હતા. તે શિખર ધવનની પહેલા લગ્ન હતા, પણ આયશાના બીજા લગ્ન હતા. આયશાના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાના બિઝનેસમેન સાથે થયા હતા, જે તુટી ગયા હતા. આયશા અને તેના પહેલા પતિની બે દીકરીઓ છે જેનું નામ રેયા અને આલિયા છે. જે 16 અને 12 વર્ષની છે. શિખર ધવન અને આયશાનો એક દીકરો છે જેનું નામ જોરાવર છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.