Video: શ્રેયસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુમાવ્યો પિત્તો, આ સવાલ પર ગુસ્સે ભરાયો

ભારતની મેજબાનીમાં વન-ડે વર્લ્ડ કપ 2023નું આયોજન થઈ રહ્યું છે. જેમાં અત્યાર સુધી ભારતીય ટીમ પોતાની એક પણ મેચ હારી નથી. ગુરુવારે રમાયેલી શ્રીલંકા સામેની મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને જીત હાંસલ કરી. ભારતીય મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર શૉટ બૉલ વિરુદ્ધ થોડો પરેશાન નજરે પડે છે, કેટલાક સમયથી આ તેની નબળાઈ પણ રહી છે. આ જ કરણ છે કે વિપક્ષી ટીમો ઇનિંગની શરૂઆતમાં તેને શૉટ બૉલથી ખૂબ પરેશાન કરતી નજરે પડે છે, પરંતુ ગુરુવારે સાંજે વાનખેડેના મેદાન પર શ્રીલંકા વિરુદ્ધ તેને શૉટ બૉલને સારી રીતે ટેકલ કર્યા આ પુલ લગાવતા ખૂબ રન બનાવ્યા.

શ્રેયસ ઐય્યરે શ્રીલંકા વિરુદ્ધ 82 રનોની શાનદાર ઇનિંગ રમી, જેના દમ પર ભારતીય ટીમ 357ના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી. જ્યારે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં શ્રેયસ ઐય્યરને એક પત્રકારે શૉટ બૉલને નબળાઈ બતાવી તો તે ગુસ્સે થઈ ગયો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પત્રકારે પૂછ્યું કે, વર્લ્ડ કપની શરૂઆતથી જ શૉટ બૉલ તમારી સમસ્યા રહી છે, પરંતુ આજે આપણે ખૂબ શાનદાર શોટ્સ જોયા. તમે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચ માટે કેવી તૈયારી કરશો, આપણે બધા જાણીએ છીએ કે શૉટ બૉલમાં તેઓ કેટલા માહિર છે.

તેના પર શ્રેયસ ઐય્યરે કહ્યું કે, જ્યારે તમે મારા માટે સમસ્યાની વાત કરી રહ્યા છો તો તેનો શું અર્થ છે? પત્રકારે કહ્યું કે, પ્રોબ્લેમ નહીં મતલબ તમને પરેશાન કરે છે. શ્રેયસ ઐય્યરે તેના જવાબમાં કહ્યું કે, મને પરેશાન કરે છે? શું તમે જોયું છે કે મેં કેટલા પુલ શોટ્સ રમ્યા છે, જેમાં ઘણી બાઉન્ડ્રી પણ ગઈ છે. જો તમે બૉલને હિટ કરશો તો તમે કોઈ પણ રીતે આઉટ થઈ શકો છો. પછી તે એક શૉટ બૉલ હોય કે ઓવરપીચ બૉલ. જો હું બે કે 3 વખત શૉટ પણ ન રમી શકતો નથી. અમે એક ખેલાડી તરીકે કોઈ પણ બૉલ પર આઉટ થઈ શકીએ છીએ.

તેણે આગલ કહ્યું કે, આ બધુ તમારા લોકો તરફથી આ બધો માહોલ બહાર બનાવવામાં આવ્યો છે અને આ જ કારણે તમારા લોકોના મનમાં એ ચાલતું રહે છે અને તમે એ જ બધી વસ્તુઓ પર કામ કરતા રહો છો. હું મુંબઈ આવું છું અને વાનખેડેની પીચ પર હું ખૂબ રમ્યો છું. જ્યાં ભારતના અન્ય મેદાનોની પીચોની તુલનામાં વધુ બાઉન્સ જોવા મળે છે. હું મોટા ભાગની મેચ અહી રમ્યો છું અને આ જ કારણે મને સારી રીતે ખબર છે કે બાઉન્સ બૉલને કયા પ્રકારે રમવાનું છે. તમે જ્યારે બાઉન્સ બૉલ પર હિટ કરવા જાવ છો તો તમે આઉટ પણ થઈ શકો છો. ક્યારેક તે તમારા પક્ષમાં પણ જાય છે. એવું થઈ શકે છે કે હું જ્યારે એવા બૉલને મારવા ગયો છું અને મોટા ભાગના સમયે આઉટ થયો છું, જેના કારણે તમે બધા વિચારો છો કે એ મારા માટે સમસ્યા છે.  

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.