ભારતીય ટીમને મોટો ઝટકો, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની સીરિઝથી આ ખેલાડી થયો બહાર

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની વન-ડે સીરિઝના શરૂઆતના બરાબર એક દિવસ અગાઉ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇજાના કારણે મિડલ ઓર્ડરનો સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐય્યરને સીરિઝથી બહાર કરી દેવામાં આવ્યો છે. શ્રેયસ ઐય્યરની જગ્યાએ રજત પાટીદારને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે, શ્રેયસ ઐય્યરને પીઠમાં ઇજા થવાના કારણે સીરિઝથી બહાર કરી દેવામાં આવ્યો છે. હવે રિહેબિલટેશન માટે શ્રેયસ ઐય્યરને બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ અકાદમી (NCA) મોકલવામાં આવ્યો છે.

શ્રેયસ ઐય્યર માટે ગત વર્ષ એટલે કે વર્ષ 2022 ખૂબ શાનદાર રહ્યું હતું. તે ભારતીય ટીમ માટે વન-ડે ફોર્મેટમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી બન્યો હતો. તેણે 17 મેચોમાં 724 રન બનાવ્યા હતા, પરંતુ આ નવા વર્ષે 2023ની શરૂઆત તેના માટે સારી ન રહી. શ્રેયસ ઐય્યરે આ વર્ષે 3 મેચ રમી છે. શ્રેયસ ઐય્યરે શ્રીલંકા વિરુદ્ધની વન-ડે સીરિઝની 3 મેચોમાં 28, 28 અને 38 રન બનાવ્યા, જ્યારે વર્ષ 2022ના અંતમાં શ્રેયસ ઐય્યરે 2 ટેસ્ટ મેચ રમી હતી. તેમાં બે અડધી સદી બનાવી હતી.

એટલે કે શ્રેયસ ઐય્યર વર્ષ 22ની જેમ આ વર્ષે જલવો દેખાડી શક્યો નથી. હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝથી પણ બહાર થઈ ગયો છે. ટોપ ઓર્ડરનો બેટ્સમેન રજત પાટીદાર હાલના સમયમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. 29 વર્ષીય રજત પાટીદારે મધ્ય પ્રદેશ તરફથી રમતા છેલ્લી 5 ફર્સ્ટ ક્લાસ મેચોની 8 ઇનિંગમાં એક સદી સિવાય 4 અડધી સદી બનાવી છે. આ શાનદાર પ્રદર્શનના આધાર પર તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની વન-ડે સીરિઝની શરૂઆત બુધવાર (18 જાન્યુઆરી)થી થશે. પહેલી મેચ 18 જાન્યુઆરીના રોજ હૈદરાબાદમાં થશે. જ્યારે બીજી વન-ડે મેચ 21 જાન્યુઆરીના રોજ રાયપુર અને ત્રીજી અને છેલ્લી મેચ 24 જાન્યુઆરીના રોજ ઈન્દોરમાં થશે. બધી મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યાથી રમાવાની છે.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારતની વન-ડે ટીમ:                                      

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઇશાન કિશન (વિકેટકીપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કે.એસ. ભરત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (ઉપકેપ્ટન), રજત પાટીદાર, વૉશિંગટન સુંદર, શાહબાજ અહમદ, શાર્દૂલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને ઉમરાન મલિક.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.