વિરાટ કોહલીના કેપ્ટન્સી છોડવા પર પહેલી વખત ગાંગુલીએ તોડ્યું મૌન, જણાવ્યું સત્ય

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પહેલી વખત વિરાટ કોહલી દ્વારા ભારતીય ટીમની કેપ્ટન્સી છોડવાને લઈને પોતાનું મૌન તોડ્યું. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, કેપ્ટન્સી છોડવાને લઈને વિરાટ કોહલી પર કોઈ પણ પ્રકારનો કોઈ દબાવ બનાવવામાં આવ્યો નહોતો અને તેણે પોતે ભારતીય ટીમની કેપ્ટન્સી છોડી હતી. વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2021થી અગાઉ કહ્યું હતું કે, તે T20 વર્લ્ડ કપ બાદ આ ફોર્મેટની કેપ્ટન્સી છોડી દેશે. ત્યારબાદ તેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે વન-ડે ટીમની કેપ્ટન્સી આપવામાં આવી નહોતી અને પછી તેણે આ પ્રવાસ પર રમાયેલી રમાયેલી ટેસ્ટ સીરિઝ (15 જાન્યુઆરી 2022) બાદ જ ટેસ્ટ ટીમની પણ કેપ્ટન્સી છોડી દીધી હતી.

વિરાટ કોહલીએ જે સમયે ભારતીય ટીમની કેપ્ટન્સી છોડી હતી, એ સમયે સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ હતા. સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, BCCI એ વાત માટે તૈયાર નહોતી કે વિરાટ કોહલી ટેસ્ટ કેપ્ટન્સી છોડી દેશે. તેમણે કહ્યું કે, મને ખબર નથી કે વિરાટ કોહલીએ કયા કારણે કેપ્ટન્સી છોડી હતી અને તેનું કારણ માત્ર તે જ બતાવી શકે છે. વિરાટ કોહલીના અચાનક કેપ્ટન્સી છોડ્યા બાદ રોહિત શર્મા કેપ્ટન્સી માટે બેસ્ટ ઓપ્શન હતો અને પછી તેને કેપ્ટન્સી સોંપવામાં આવી.

મારો રોહિત શર્મા ઉપર વિશ્વાસ છે કેમ કે તે અને મહેન્દ્ર સિંહ ધોની 5 વખત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટ્રોફી જીત્યા છે અને એ જીતવી સરળ નથી. સૌરવ ગાંગુલીએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન વિરાટ કોહલીની કેપ્ટન્સીને લઈને એવો ખુલાસો કરવામાં આવ્યો. આ અગાઉ તેમણે ક્યારેય આ બાબતે ખૂલીને કઈ કહ્યું નહોતું. તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ઓસ્ટ્રેલિયાના હાથે ભારતને મળેલી હાર બાબતે ગાંગુલીએ વાત કરતા કહ્યું કે ભારતની હાર નિરાશ કરનારી હતી અને આ ટીમમાં જોશની કમી દેખાઈ.

સૌરવ ગાંગુલીએ આગળ કહ્યું કે, ભારતીય ટીમે હારનો ડર પોતાના પર હાવી કરી લીધો હતો, પરંતુ હું ભારતીય ટીમનો કેપ્ટન હોત તો પ્લેઇંગ ઇલેવનમાં રવિચંદ્રન અશ્વિનને જરૂર સામેલ કરતો. ભારતીય ટીમ ખૂબ જ શાનદાર છે અને આ ટીમે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા દરેક જગ્યાએ મેચ જીતી છે. આ ટીમ ઓસ્ટ્રેલિયન ટીમથી ખૂબ આગળ દેખાઈ રહી હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને એ ટેસ્ટ (બ્રિસ્બેન)માં હરાવી હતી, જ્યારે ન વિરાટ કોહલી, ન રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બૂમરાહ પણ નહોતા.

આ વખત ફાઇનલમાં બધાને આશા હતી કે ભારત જીતશે, પરંતુ પહેલા દિવસના બે સેશનમાં ભારત ખૂબ પાછળ રહી ગયું અને ત્યારબાદ રિકવરી ન થઈ શકી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવાનું જોખમ ન ઉઠાવ્યું અને એ ટીમની સૌથી મોટી ભૂલ હતી. એ મેચમાં મને ક્યાંયથી પણ ન લાગ્યું કે ભારતીય ટીમ ઘૂસવાનો પ્રયાસ કરી રહી છે. આમ આ ટીમમાં કુશળતા છે કે તે જીતી શકે છે, પરંતુ આ વખત એવું ન થઈ શક્યું. સૌરવ ગાંગુલીએ વન-ડે વર્લ્ડ કપ 2023 બાબતે વાત કરતા કહ્યું કે, આ મોટા ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમે માનસિક રૂપે મજબૂત થવું જરૂરી છે. ભારતીય ટીમમાં ટેલેન્ટની કોઈ કમી નથી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.