સૌરવ ગાંગુલીના મતે રિષભ પંત આટલા સમયમાં ટીમમાં કમબેક કરી શકે છે

ગયા વર્ષના અંતમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇને બહાર થનારા રિષભ પંતને લઇને બધાના મનમાં સવાલ છે કે, આ યુવા વિકેટકીપર બેટ્સમેન ભારતીય ટીમમાં ક્યારે વાપસી કરશે. આ સવાલનો જવાબ પૂર્વ ભારતીય કેપ્ટન, પૂર્વ BCCI અધ્યક્ષ અને દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ આપ્યો છે. સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, રિષભ પંતને ભારત માટે ફરી રમવામાં કદાચ 2 વર્ષનો સમય લાગી શકે છે. એક ન્યૂઝ એજન્સી સાથે ખાસ વાતચીત કરતા સૌરવ ગાંગુલીએ કહ્યું કે, દિલ્હી કેપિટલ્સ (DC)માં રિષભ પંતની કમી પૂરી કરવાનું મુશ્કેલ હશે અને હાલમાં ટીમે અત્યારે રિપ્લેસમેન્ટને લઇને છેલ્લો નિર્ણય લીધો નથી.

તેમણે જણાવ્યું કે, ડાબા હાથના ખેલાડી રિષભ પંતના અકસ્માત બાબતે તેઓ ઘણી વખત તેની સાથે વાતચીત કરી ચૂક્યા છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, મેં તેની સાથે ઘણી વખત વાત કરી છે કે તે ઇજા અને સર્જરીના કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે અને હું તે સારો થવાની કામના કરું છું. એક વર્ષમાં કે કેટલાક વર્ષમાં, તે ભારત માટે પાછો રમશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં દિલ્હીથી રુડકી જતી વખત રિષભ પંતની ગાડીનો ભીષણ અકસ્માત થઇ ગયો ગયો હતો.

આ અકસ્માત બાદ તે ગમે તેમ કાર બહાર આવી ગયા બાદ કારમાં આગ લાગી ગઇ હતી. આ અકસ્માતમાં તેને ગંભીર ઇજા થઇ હતી. ત્યારબાદ તેને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં તેની સારવાર થઇ રહી હતી અને પછી તેને મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ જ રિષભ પંતે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી હતી, જેમાં તે સ્ટીકના સહારે ચાલતો નજરે પડી રહ્યો હતો.

દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ એવી પણ જાણકારી આપી કે, ટીમે અત્યાર સુધી રિષભ પંતના રિપ્લેસમેન્ટના રૂપમાં કોઇ નામ ફાઇનલ કર્યું નથી. આ રેસમાં અભિષેક પેરોલ, શેલ્ડન જેક્સનનું નામ સામે આવી રહ્યી છે. તેમણે કહ્યું કે, અમને અત્યારે પણ થોડા સમયની જરૂરિયાત છે. આગામી કેમ્પ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલા શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે કોલકાતામાં 3 દિવસીય કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં પૃથ્વી શૉ, ઇશાંત શર્મા, ચેતન સકારિયા, મનીષ પાંડે સિવાય અન્ય ઘરેલુ ખેલાડી નજરે પડ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.