એશિયા કપ ફાઈનલમાં શ્રીલંકાના કેપ્ટન શનાકાને ભારે પડી આ ભૂલો

ભારતીય ટીમે મોહમ્મદ સિરાજની બોલિંગની મદદથી કોલંબોમાં એશિયા કપ 2023ની ટ્રોફી પોતાના નામે કરી. ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકન ટીમને સરળતાથી હરાવી દીધી. શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ એ ખોટો સાબિત થયો અને તે માત્ર 50 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. આ દરમિયાન મોહમ્મદ સિરાજે 6 વિકેટ લીધી. તેના જવાબમાં ભારતીય ટીમે 6.1 ઓવરમાં મેચ પોતાના નામે કરી લીધી. આ મેચમાં શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાની ભૂલો આખી ટીમ પર ભારે પડી ગઈ. મેચને જોઈને એમ લાગ્યું જેમ ભારતે ટ્રોફી જીતી નથી, પરંતુ શ્રીલંકાએ જીતાડી દીધી.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય:

શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો. કોલંબોમાં વરસાદની સંભાવના હતી. જો તે પહેલા બૉલિંગનો નિર્ણય લેતો તો મેચ અલગ દિશામાં પહોંચી શકતી હતી. ભારત માટે જીત સરળ નહોતી. કોલંબોમાં જે પીચ પર ભારત-શ્રીલંકાની મેચ થઈ, તે નવી અને સ્પિન ફ્રેન્ડલી હતી. એવી સ્થિતિમાં કેપ્ટન શનાકા માટે તેનો જ નિર્ણય ભારે પડી ગયો.

સ્પિન ફ્રેન્ડલી પીચે રંગ બદલ્યો:

કોલંબોની પીચ નવી અને સ્પિન ફ્રેન્ડલી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અહીં પહેલા બેટિંગ કરવા માગતો હતો, પરંતુ શનાકાએ ટોસ જીત્યો અને પોતે જ બેટિંગનો નિર્ણય લીધો. સ્પિન ફ્રેંડલી પીચે ફાસ્ટ બોલરોનો ભરપૂર સાથ આપ્યો અને મેચ પલટાઈ ગઈ. જો શનાકા પહેલા બેટિંગ દરમિયાન શરૂઆતી વિકેટ પડ્યા બાદ રણનીતિક બદલાવ કરતો તો તેના માટે ફાયદાકારક સાબિટ થઈ શકતું હતું.

સિરાજ સામે શ્રીલંકન બેટ્સમેનોએ ટેકવ્યા ઘૂંટણ:

શ્રીલંકન ઓપનર ટીમને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યા. સિરાજ સામે કોઈ ટકી ન શક્યું. એવી સ્થિતિમાં કેપ્ટન શનાકા અને ટોપ ઓર્ડર્સ બેટ્સમેનોએ ટાંકીને બેટિંગ કરવાની જરૂરિયાત હતી. શ્રીલંકન ખેલાડીઓ પાસે તેનો કોઈ જવાબ નહોતો.

9 ખેલાડીઓએ ડબલ ડિજિટનો આંકડો પણ ન બનાવ્યો:

શ્રીલંકન 9 ખેલાડી ડબલ ડિજિટ સ્કોર પર આઉટ થઇ ગયા. પથૂન નિસંકા 2 રન બનાવીને આઉટ થયો. પરેરા, સમરવિક્રમા, કેપ્ટન દાસુન શનાકા, અસલંકા અને પથિરાના શૂન્ય પર આઉટ થયા. ધનંજય ડી સિલ્વા 4 રન બનાવીને આઉટ થયો. વેલ્લાલાગે 8 રન અને મધુશન 1 રન બનાવીને આઉટ થયા.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.