કેપ્ટનને સવાલ કેમ પૂછવામાં આવી રહ્યા નથી? ગાવસ્કરની રોહિતને લઈને પ્રતિક્રિયા

ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં મળેલી હાર બાદ સતત ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. દરેક પોત પોતાના મંતવ્યો રાખી રહ્યું છે, તો પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે કેપ્ટન રોહિત શર્માને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કેમ દરેક ખેલાડીને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે, પરંતુ કોઈ કેપ્ટન ઉપર સવાલ કેમ ઉઠાવી રહ્યું નથી. સુનિલ ગાવસ્કરના જણાવ્યા મુજબ, શું સિલેક્ટર્સે મેચ બાદ મીટિંગ કરીને રોહિત શર્માને સવાલ કર્યા?

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, તેમણે રોહિત શર્માને હારના કારણો બાબતે પૂછવું જોઈતું હતું. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ટીમને રમતના છેલ્લા દિવસે 209 રનથી હરાવી દીધી હતી. કોઈ પણ બેટ્સમેન ટકીને લાંબી ઇનિંગ ન રમી શક્યો અને તેની સાથે જ ટીમનું ICC ટ્રોફી જીતવાનું સપનું ફરી એક વખત તૂટી ગયું. સુનિલ ગાવસ્કરના જણાવ્યા મુજબ, હાર બાદ કોઈની પણ જવાબદારી કેમ નક્કી ન કરવામાં આવી.

એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીત કરવા દરમિયાન તેમણે કહ્યું કે, ‘હું એ પૂછવા માગું છું કે, શું કોઈ જવાબદારી કોઇની નથી? શું તમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ બાદ મીટિંગ કરી, જ્યાં તમે કેપ્ટનની નિમણૂક બાબતે ચર્ચા કરતા. અમારા જમાનામાં સિલેક્શન મીટિંગ થતી હતી, જ્યાં કેપ્ટનની નિમણૂક કરવામાં આવતી હતી અને ટીમ સિલેક્શનમાં તે પોતાના મંતવ્ય આપતો હતો. જો કે છેલ્લા 10-12 વર્ષથી આપણી ક્રિકેટમાં એમ થઈ રહ્યું નથી.

તેમણે આગળ કહ્યું કે, જો કોઈ એક વખત કેપ્ટન બની ગયો, તો પછી તે પછી હારે કે જીતે, તેને હટાવવામાં આવતો નથી. જ્યાં સુધી પોતાનું પ્રદર્શન સારું રહે છે તેની કેપ્ટન્સી બનેલી રહેશે. જો કોઈ મજબૂત સિલેક્ટર હોત તો રોહિત શર્માને પૂછત કે રવિચંદ્રન અશ્વિનને કેમ પસંદ ન કરવામાં આવ્યો? ટ્રેવિસ હેડ વિરુદ્ધ નાના બૉલ નાખવાની રણનીતિ મોડેથી કેમ અપનાવવામાં આવી? આ સવાલ ખૂબ જરૂરી છે. તમે ભલે તેને કેપ્ટન બનાવી રાખો, પરંતુ જવાબદારી નક્કી હોવી જોઈએ.

About The Author

Related Posts

Top News

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.