સુનિલ ગાવસ્કરે રોહિત શર્મા વિશે કહ્યું- તેને IPLની થોડી મેચમાંથી આરામ લઈને...

ભારતીય લીજેન્ડ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા લઈને મોટું નિવેદન આપ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની કેપ્ટન્સી સંભાળી રહેલા રોહિત શર્મા ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. IPL બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં જ ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલ રમવાની છે. એવામાં સુનિલ ગાવસ્કરે રોહિત શર્માને આરામ કરવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ માટે ફ્રેશ થઈને ફરવાની સલાહ આપી છે.

સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા કહ્યું કે, રોહિત શર્માએ થોડો આરામ કરીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ફિટ રહેવું જોઈએ. આરામ કરીને રોહિત શર્મા IPLના અંતમાં 2-3 મેચ રમીને ફ્રેશ રહેવું જોઈએ. મુંબઈ ઇન્ડિયન્સના IPL પ્લેઓફમાં પહોંચાવને લઈને સુનિલ ગાવસ્કરે કહ્યું કે, એમ થાય છે તો એ ચમત્કારિક હશે. તે ચોથા નંબરે રહી શકે છે, પરંતુ તેણે બોલિંગ અને બેટિંગમાં અસાધારણ પ્રદર્શન કરવું પડશે. મુંબઈ ઇન્ડિયન્સે IPLમાં અત્યાર સુધી 7 મેચ રમી છે, જેમાંથી 3 મેચમાં જીત મળી છે અને 4 મેચમાં હાર. એવામાં ટીમ 6 પોઇન્ટ્સ સાથે સાતમા નંબર પર છે.

રોહિત શર્માએ અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં 181 રન બનાવ્યા છે. તેમાં એક અડધી સદી સામેલ છે. તેની એવરેજ  25.86 અને સ્ટ્રાઈક રેટ 135.07 છે. IPLની 35મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે 55 રને મેચ જીતી લીધી હતી. આ વર્ષ 2017 બાદ રનોના હિસાબે મુંબઈની સૌથી મોટી હાર હતી. રોહિત શર્મા આ મેચમાં 8 બૉલમાં માત્ર 2 રન બનાવીને જ આઉટ થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ ઇંગ્લેન્ડના ‘ધ ઓવલ’ સ્ટેડિયમમાં 7 જૂનથી રમાશે. આ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા 152 પોઇન્ટ્સ સાથે અને ભારત 127 પોઇન્ટ્સ સાથે ફાઇનલમાં પહોંચી છે. હવે બંને ટીમોમાંથી જે પણ આ મેચ જીતશે તે દુનિયાની ટેસ્ટ ચેમ્પિયન બનશે. આ સતત બીજી વખત છે જ્યારે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી છે. આ અગાઉ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમી હતી, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.