PM શેખ હસીનાના કહેવા પર બાંગ્લાદેશી ખેલાડીએ રિટાયરમેન્ટ લીધું પરત

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમમાં ગજબની ઉથલ-પાથલ જોવા મળી રહી છે. વન-ડે ટીમના કેપ્ટન તમીમ ઇકબાલે અફઘાનિસ્તાન વિરુદ્ધ ચાલી રહેલી 3 મેચોની વન-ડે ઇન્ટરનેશનલ સીરિઝની પહેલી મેચ ગુમાવ્યા બાદ 6 જુલાઇના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. તેના એક દિવસ બાદ જ રિટાયરમેન્ટ પરત લઈ લીધું. તમીમ ઇકબાલે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાત બાદ તેમણે રિટાયરમેન્ટ પરત લેવાનો નિર્ણય લીધો.

ESPN ક્રિકઇન્ફોના રિપોર્ટ મુજબ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આ મુદ્દા પર તમીમ ઇકબાલ સાથે વાત કરી. શુક્રવારે તમીમ ઇકબાલ પોતાની પત્ની સાથે શેખ હસીનના ઘરે ગયો હતો. આ દરમિયાન બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મૂર્તઝા અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધ્યક્ષ નજમૂલ હસન પણ ત્યાં ઉપસ્થિત હતા. તમીમ ઇકબાલે આ મુલાકાત બાદ કહ્યું હતું કે, ‘મને વડાપ્રધાને બોલાવ્યો હતો, તેમણે મારી સાથે વાત કરી અને મને પાછું રમવા કહ્યું તો મેં એ સમયે રિટાયરમેન્ટથી વાપસીનો નિર્ણય લીધો. તેમને ના કહેવું મુશ્કેલ હતું.’

બાંગ્લાદેશે બીજી વન-ડે ઇન્ટરનેશનલ મેચ માટે લિટન દાસને કેપ્ટન બનાવ્યો હતો. 8 જુલાઇના રોજ સીરિઝની બીજી મેચ રમાવાની છે. હવે જોવાનું એ રહેશે કે શું કેપ્ટન તમીમ ઇકબાલ આ મેચમાં રમવા ઉતરશે કે નહીં. બાંગ્લાદેશના અફઘાનિસ્તાન વિરુદ્ધ શરૂઆતી વન-ડે મેચ ગુમાવ્યાના એક દિવસ બાદ જ તેમણે સંન્યાસની જાહેરાત કરીને બધાને હેરાન કરી દીધા હતા. તમીમ ઇકબાલે કહ્યું હતું કે, આ મારા કરિયરનો અંત છે. મેં રમતને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. મેં પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે. હું આ ક્ષણથી ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી રહ્યો છું.

તેણે આગળ કહ્યું કે, હું પોતાની ટીમના બધા સાથીઓ, કોચો, BCBના અધિકારીઓ, મારા પરિવારના સભ્યો તેમજ એ બધાનો આભાર માનવા માગું છું જે મારી આ લાંબી યાત્રામાં મારી સાથે રહ્યા છે. આ બધાએ મારા પર ભરોસો બનાવી રાખ્યો. તમીમ ઇકબાલે પોતાના 16 વર્ષના ક્રિકેટ કરિયરમાં 70 ટેસ્ટમાં 5,134 રન બનાવ્યા છે, જેમાં 10 સદી અને એક બેવડી સદી સામેલ છે. વન-ડે ક્રિકેટમાં ટોપ ઓર્ડરના બેટ્સમેન તરીકે તેની કુશળતા શાનદાર રહી, જેમાં તેણે 241 મેચોમાં 8,313 રન બનાવ્યા છે. જેમાં 14 સદી સામેલ છે, જે બાંગ્લાદેશના કોઈ ખેલાડીની સૌથી વધુ સદી પણ છે. તે હાલના ક્રિકેટરોમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી પણ છે જેમાં તે વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ સામેલ છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.