ICC વન-ડેવર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ ખેલાડીઓને સ્થાન નહીં

ICCવન-ડે વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ આ વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 સીઝનમાં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાશે.

ભારતીય ક્રિક્રેટ ટીમ અત્યારે એશિયા કપ 2023 રમી રહી છે. પરંતુ આ પછી ટીમે  વર્લ્ડ કપ 2023 પોતાના ઘરે રમવાનો છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડકપ રમશે.

વન-ડે વર્લ્ડકપ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની સ્કવોડમાં યુઝવેન્દ્ર ચહલને તક મળી નથી, તો એશિયા કપમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે સામેલ સંજૂ સેમ્સન પણ આ યાદીમાંથી બહાર છે. તિલક વર્માને પણ સ્થાન મળ્યું નથી. તો બીજી તરફ એશિયા કપની એક પણ મેચ નહીં રમનારા કે એલ રાહુલને ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી ગઇ છે.

વર્લ્ડકપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ગત વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. આ વખતે વર્લ્ડ કપની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

કે એલ રાહુલને IPLમાં જાંઘમાં ઇજા થઇ હતી. જો કે, તે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે અને શ્રીલંકામાં એશિયા કપ પહેલા આગામી મેચોમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાય તેવી શક્યતા છે. રાહુલ ટીમમાં હોવાના કારણે સંજુ સેમસન બહાર છે. તિલક વર્મા અને પ્રસિદ્ધ ક્રિષ્ણા પણ બહાર છે.

એવું પહેલીવાર બની રહ્યું છે કે ભારત એકલું જ વર્લ્ડકપની યજમાની કરશે. આ પહેલા ભારતે 1987,1996 અને 2011 વર્લ્ડકપની સંયુકત યજમાની કરી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે 3 મેચની વનડે સીરીઝ રમવાની છે.

વર્લ્ડ કપ 2023 માટે આ વખતે 45 દિવસમાં 48 મેચો રમાશે. આ માટે 10 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે.પહેલી સેમી ફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી મેચ બીજા દિવસે કોલકાતામાં રમાશે.બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે. ફાઇનલ મેચ અમદાવાદમાં 19 નવેમ્બરે યોજાશે જ્યારે 20 નવેમ્બર રિઝર્વ ડે હશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ મેચ હશે

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર),સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), જસપ્રિત બુમરાહ, રવિન્દ્રવિંદ
જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.

ભારત સહિત અન્ય તમામ 10 દેશોની ટીમોમાં હજુ ફેરફારનો અવકાશ છે.    

જો કોઇ દેશ પોતાની જાહેર કરેલી ટીમમાં બદલાવ કરવા માંગે છે તો 28 સપ્ટેમ્બર સુધીમાં ICCની મંજૂરી વગર બદલાવ કરી શકે છે. 28 સપ્ટેમ્બરે દરેક દેશે ફાઇનલ ટીમ જાહેર કરવી પડશે. એ પછી બદલાવ માત્ર ICCની મંજૂરી પછી જ કરી શકાશે.

ભારતની મેચનો શેડ્યુલ

8 ઓકટોબર ઓસ્ટ્રેલિયા સામે, ચેન્નાઇમાં

11 ઓકટોબર અફઘાનિસ્તાન સામે, દિલ્હીમાં

14 ઓકટોબર પાકિસ્તાન સામે, અમદાવાદમાં

19 ઓકટોબર બાંગ્લાદેશ સામે પુણેમાં

22 ઓકટોબર ન્યુઝીલેન્ડ સામે, ધર્મશાળામાં

29 ઓકટોબર ઇંગ્લેંડ સામે લખનૌ

2 નવેમ્બર શ્રીલંકા સામે મુંબઇમાં

5 નવેમ્બરે સાઉથ આફ્રીકા સામે કોલકાત્તામાં

12 નવેમ્બરે નેધરલેન્ડ સામે, બેંગુલુરમાં

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.