ઈન્દોરમાં અજેય રહ્યો છે ભારતનો રેકોર્ડ, નંબર 1 ટીમ બનવું લગભગ નક્કી

ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ત્રણ વનડે મેચની સીરિઝની છેલ્લી મેચ આવતીકાલે એટલે કે 24 જાન્યુઆરીના રોજ ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાનો છે. આ મુકાબલાને જીતીને રોહિત શર્મા એન્ડ ટીમની નજર મહેમાન ટીમના સૂપડા સાફ કરવાની સાથે ICC વનડે રેન્કિંગમાં પહેલો ક્રમ હાંસલ કરવા પર રહેશે. ટીમ ઈન્ડિયા આ સમયે 113 રેટિંગ્સની સાથે ત્રીજા ક્રમ પર છે. ભારતનો ઈન્દોરના આ સ્ટેડિયમમાં છેલ્લો રેકોર્ડ જોતા લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાનું પહેલા નંબરની વનડે ટીમ બનવાનું લગભગ નક્કી જેવું જ છે.

ભારતે ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં હજુ સુધી 5 ઈન્ટરનેશનલ વનડે મેચ રમી છે અને ભારતે આ દરમિયાન એક પણ હાર આ મેદાનમાં મેળવી નથી. 2006માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ મેદાન પર ભારતે પહેલી વનડે મેચ રમી હતી, જ્યારે છેલ્લી વખત 2017માં ઓસ્ટ્રેલિયાની ટીમની મેજબાની આ મેદાનમાં કરી હતી. ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ભારતે બે વખત ઈંગ્લેન્ડને અને 1-1 વખત વેસ્ટ ઈન્ડીઝ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને હાર આપી છે.

વનડે સિવાય ટેસ્ટ અને T20માં પણ ભારતે આ મેદાન પર પોતાને રેકોર્ડ અજેય રાખ્યો છે. વનડેની જેમ ટેસ્ટમાં પણ ભારત આ મેદાન પર એક પણ મેચ હાર્યું નથી. અહીં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ તથા બાંગ્લાદેશને રેડ બોલ ક્રિકેટમાં માત આપી છે. ભારતે અહીં એકમાત્ર હાર T20 ક્રિકેટ મેચમાં મળી છે. ભારતે ઈન્દોરમાં ત્રણમાંથી બે T20 મેચ જીતી છે. એકમાત્ર હારનો સામનો ટીમ ઈન્ડિયાને ગયા વર્ષે સાઉથ આફ્રિકા વિરુદ્ધ કરવો પડ્યો હતો.

ન્યૂઝીલેન્ડનું ભારતમાં પહેલી વનડે સીરિઝ જીતવાનું સપનું આ વર્ષે પણ અધૂરું રહ્યું છે. આ ટીમે પહેલી વખત ભારત વિરુદ્ધ ભારતમાં 1988માં વનડે સીરિઝ રમી હતી. આ દરમિયાન દિલીપ વેંગસકરની કેપ્ટન્સીમાં ભારતે મહેમાનોના 4-0થી સૂપડા સાફ કરી દીધા હતા. જેના પછી ટીમ ઈન્ડિયાએ 1995, 1999, 2010, 2016 અને 2017માં તેમને માત આપી હતી. છેલ્લા 35 વર્ષોમાં ન્યૂઝીલેન્ડ ભારતમાં એક પણ વનડે સીરિઝ જીતી શક્યું નથી. 

આવતીકાલે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના સૂપડા સાફ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જેમાં મધ્ય ક્રમના બેટ્સમેનો સારું પ્રદર્શન કરે તેવી કોશિશ કરવામાં આવશે. સીરિઝ પહેલા જ પોતાના નામે કરી લીધી હોવાના કારણે ભારત પોતાની બોલિંગમાં કંઈ બદલાવ કરી શકે તેમ છે. આ સાથે બોલરો પણ અંતિમ ઓવરોમાં પોતાનું પ્રદર્શન સુધારે તેવી કોશિશ કરવામાં આવશે.      

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.