ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધશે, રિષભ પંત ODI વર્લ્ડ કપમાંથી પણ થઇ શકે છે બહાર

ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત ગયા વર્ષે 30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના પંત સાથે રૂરકી જતા સમયે બની હતી. રિષભ પંતની અગાઉ દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. ત્યારબાદ તેને મુંબઈની કોકિલા બેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રિષભ પંત ક્યારે મેદાનમાં પરત ફરશે, તે અત્યારે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી.

આમ જોઈએ તો, કોકિલા બેન હોસ્પિટલ તરફથી આવી રહેલા સમાચાર ભારતીય ક્રિકેટ ચાહકો માટે બિલકુલ સારા નથી. મીડિયા અહેવાલો અનુસાર, પંતને મેદાન પર પાછા ફરવા માટે ઓછામાં ઓછા 8-9 મહિનાનો સમય લાગશે, કારણ કે તેના ઘૂંટણ અને પગની ઘૂંટીમાં લિગામેન્ટ ટિયર માટે ડબલ સર્જરી થવાની અપેક્ષા છે. આનો અર્થ એ થયો કે, રિષભ પંત માત્ર IPL 2023માંથી જ બહાર નહીં રહે, પરંતુ સપ્ટેમ્બરમાં યોજાનાર એશિયા કપ સિવાય ODI વર્લ્ડ કપ 2023માં પણ ભાગ લઇ શકશે નહીં.

ડો. દિનશા પારડીવાલાના નેતૃત્વમાં (કોકિલાબેન હોસ્પિટલના સ્પોર્ટ્સ ઓર્થોપેડિક્સના નિયામક) ડોકટરોની ટીમે રિષભ પંતની તપાસ કરી. ઈનસાઈડ સ્પોર્ટના અહેવાલ મુજબ હોસ્પિટલના નિષ્ણાતોનું માનવું છે કે, જ્યાં સુધી સોજો ઓછો ન થાય ત્યાં સુધી કોઈ MRI કે સર્જરી કરી શકાતી નથી. પંતને ગંભીર લિગામેન્ટ ટિયર છે અને તેને પુરી રીતે સામાન્ય સ્થિતિમાં પાછા આવવામાં ઓછામાં ઓછા 8-9 મહિનાનો સમય લાગશે.

BCCIની મેડિકલ ટીમની નજીકના એક સૂત્રએ કહ્યું, 'આ તબક્કે લિગામેન્ટ ટિયરની હદ જાણી શકાય એમ નથી આગામી 3-4 દિવસમાં જ સ્પષ્ટ ચિત્ર બહાર આવી શકે છે, પરંતુ હોસ્પિટલના ડોકટરોનું માનવું છે કે પંતનું લિગામેન્ટ ફાટી ગયું છે તે ગંભીર છે. વિકેટકીપરને જે પ્રકારના વર્કલોડમાંથી પસાર થવું પડે છે, અમને લાગે છે કે પંત વર્ષના અંતમાં જ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરી શકે છે.'

IPL કમિશનર અરુણ ધૂમલે કહ્યું હતું કે, 'અમે તેની દરેક રીતે કાળજી લઈશું. પરંતુ આ સમયે, તેની ઇજા અંગે ટિપ્પણી કરવી એ નકરી અટકળો લગાવવા બરાબર હશે, ડોકટરોને તેમની સમગ્ર પ્રક્રિયા અને નિરીક્ષણ કરવા દો. બુધવારે, BCCIએ પંતને એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલના ડોક્ટરોના રિપોર્ટ બાદ BCCI નક્કી કરશે કે પંતનું ભારતમાં ઓપરેશન કરવું પડશે કે પછી તેને સર્જરી માટે લંડન લઈ જવામાં આવશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.