પૂર્વ દિગ્ગજનું ચોંકાવનારું નિવેદન- સારું થયું રાહુલ ત્રીજી ટેસ્ટમાં ન રમ્યો

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇન્દોર ટેસ્ટમાં ભારતીય ટીમે ઓપનર અને પૂર્વ ઉપકેપ્ટન કે.એલ. રાહુલને પ્લેઇંગ ઇલેવનમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી પૂર્વ ઑપનર કૃષ્ણમાચારી શ્રીકાંત ખૂબ ખુશ છે. તેમના જણાવ્યા મુજબ આ પ્રકારની પીચ પર રન બનાવવા મુશ્કેલ છે અને જો કે.એલ. રાહુલ રમતો તો તેનો આત્મવિશ્વાસ હજુ નબળો થઇ જતો. શ્રીકાંતે ઇન્દોરની પીચથી નિરાશા વ્યક્ત કરી છે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઇન્દોરની પીચને ‘ખરાબ’ માની અને તેને 3 ડિમેરિટ પોઇન્ટ આપ્યા છે. આ પોઇન્ટ 5 વર્ષ સુધી યથાવત રહેશે. મેચ રેફરી ક્રિસ બ્રોડે કહ્યું કે, પીચ બેટ અને બૉલ વચ્ચે સંતુલન પ્રદાન કરતી નથી અને એ શરૂઆતથી જ સ્પિનરોને અનુકૂળ હતી. પોતાના યુટ્યુબ શૉ પર શ્રીકાંતે કહ્યું કે, ઇન્દોર જેવી પીચો બેટિંગ યુનિટને નિષ્ફળ થવાનું સેટઅપ કરી રહી છે.

તેમણે કે.એલ. રાહુલ અને પીચને લઇને કેટલીક મહત્ત્વની વાત કહી. શ્રીકાંતે કહ્યું કે, સૌથી પહેલા હું કે.એલ. રાહુલ માટે ખુશ છું. સારું છે કે તે ન રમ્યો. જો તે આ વિકેટો પર રમતો અને આગામી 2 ટેસ્ટમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હોત અને તેનું કરિયર સમાપ્ત થઇ જતું. ભગવાનનો આભાર છે કે તે ન રમ્યો. તેમણે આગળ કહ્યું કે, આ પીચો પર બેટિંગ કરવાનું મુશ્કેલ હોય છે. કોઇ પણ હોય, બેટિંગ કરવાનું મુશ્કેલ છે. પછી તે વિરાટ કોહલી હોય કે કોઇ પણ, આ પીચો પર રન નહીં બનાવી શકે.

જો તમે તેના પર ધ્યાન કરો તો પહેલી ઇનિંગમાં બોલિંગ કરી રહેલા કુહ્નેમેનના બૉલને સ્ક્વેર ટર્ન કરાવી રહ્યો હતો. આ વિકેટો પર વિકેટ લેવાની કોઇ મોટી વાત નથી. જો હું બોલિંગ કરતો તો પણ વિકેટ હાંસલ કરતો. આ મુશ્કેલ વાત છે, આપણે સ્વીકારવી પડશે. ત્રીજી ટેસ્ટ મેચમાં હાર મળ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે અમે આ પ્રકારની પીચો પર રમવા માગીએ છીએ. તો શ્રીકાંતે કહ્યું કે, ઇન્દોર જેવી પીચો ટેસ્ટ ક્રિકેટના સારા પ્રચાર માટે નથી અને ભારતે સારી વિકેટ તૈયાર કરવી જોઇએ, ભલે તેઓ ઘરેલુ પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવવા માગતા હોય.

ટેસ્ટ ક્રિકેટ માટે આ સારો પ્રચાર નથી. તેઓ ભૂલ કરી રહ્યા છે. હાં જો તમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્ષ 2008ની સીરિઝ જુઓ. પીચો ટર્નર નહોતી, પરંતુ ભારતીય ટીમ સીરિઝ 2-0થી જીતી હતી, પરંતુ અહીં બૉલ પહેલા દિવસથી સ્ક્વેર ટર્ન થઇ રહ્યો છે. આ પીચો પર બેટિંગ કરવાનું મુશ્કેલ છે. આ ટેસ્ટ ક્રિકેટ માટે સારો પ્રચાર નથી. ઘરેલુ લાભ લેવામાં કઇ ખોટું નથી, પરંતુ તમારે થોડી સારી વિકેટ તૈયાર કરવી પડશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.