કોર્ટે શિખર ધવનની પત્નીને ફટકાર લગાવી, ધવને જ કરેલી ફરિયાદ, જાણો શું કહ્યું

ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલા અનુભવી ઓપનર શિખર ધવન માટે દિલ્હી કોર્ટમાંથી એક સારા સમાચાર આવ્યા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શિખર ધવનની પત્ની આયેશા મુખર્જીને આદેશ આપ્યો છે કે તેઓ આ ક્રિકેટર વિરુદ્ધ બદનક્ષીભર્યા નિવેદનો ન કરે. આ અંગે ધવને કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

અનુભવી ઓપનર શિખર ધવનનું પારિવારિક જીવન સારું નથી ચાલી રહ્યું. ખરેખર, ધવન અને આયેશા મુખર્જી વચ્ચે છૂટાછેડાનો કેસ પણ ચાલી રહ્યો છે. આ દરમિયાન, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શિખરની પત્ની આયેશા મુખર્જીને આદેશ આપ્યો છે કે, તેઓ ગમે ત્યાં અને ગમે ત્યારે ધવનને બદનામ કરતા નિવેદનો ન કરે. ધવને કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે, આયેશા તેની પ્રતિષ્ઠા ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે કોર્ટે આયેશાને નિર્દેશ આપ્યા છે.

હવે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ન્યાયાધીશ હરીશ કુમારે આયેશાને આદેશ આપ્યો છે કે, શિખર ધવનને કોઈ પણ રીતે ખોટી રીતે રજૂ ન કરે અથવા તેને બદનામ ન કરે. ન્યાયાધીશે આયેશાને આદેશ આપ્યો કે, પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા, મિત્રો અથવા સંબંધીઓ સહિત કોઈપણ વ્યક્તિ અથવા સ્થાન પર બદનક્ષીભરી અને ખોટી સામગ્રી પ્રસારિત ન કરો. ન્યાયાધીશે કહ્યું કે દરેક વ્યક્તિને તેનું સન્માન ગમે છે. તે ખૂબ મહેનતથી સમાજમાં માન અને નામ બનાવે છે. જો એક વાર માન ખોવાઈ જાય તો મોટું નુકસાન થાય છે.

શિખર ધવને વર્ષ 2012માં આયેશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. આયેશા મુખર્જી હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહે છે. આયેશાના આ બીજા લગ્ન હતા અને તેમને 2 દીકરીઓ પણ છે. ધવન અને આયેશાના લગ્ન પછી વર્ષ 2014માં તેમના પરિવારમાં એક પુત્રનો જન્મ થયો, જેનું નામ જોરાવર છે. વર્ષ 2020માં તેમના સારા સંબંધોમાં તિરાડ એટલી વધી ગઈ કે બંનેએ અલગ રહેવાનો નિર્ણય લીધો. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. હવે બંને છેલ્લા લગભગ બે વર્ષથી અલગ રહે છે.

ધવને તેની અરજીમાં કહ્યું હતું કે, આયેશા તેની પ્રતિષ્ઠાને બદનામ કરવા અને તેની કારકિર્દી બગાડવા માટે સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ ફોરવર્ડ કરી રહી છે. આ કેસમાં ચુકાદો સંભળાવતા જસ્ટિસ હરીશ કુમારે કહ્યું કે, 'વ્યક્તિની પ્રતિષ્ઠા બધાને પ્રિય હોય છે અને તેને સૌથી મહત્વની સંપત્તિ માનવામાં આવે છે. ભૌતિક સંપત્તિને નુકસાન થયા પછી તેણે પુનઃપ્રાપ્ત કરી શકાય છે, પરંતુ એકવાર નુકસાન થયા પછી પ્રતિષ્ઠા પુનઃપ્રાપ્ત કરી શકાતી નથી.'

કોર્ટે કહ્યું કે, જો આયેશાને ધવન વિરુદ્ધ ફરિયાદ છે તો તેણે કાયદાકીય મદદ લેવી જોઈએ. એમાં તેમને કોઈ રોકી શકતું નથી, પરંતુ ક્રિકેટર પર અપમાનજનક ટિપ્પણી કરવાની કોઈ પણ સંજોગોમાં મંજૂરી નથી. કોર્ટે ધવનની પત્નીને બાળક અને તેના પિતા વચ્ચે દરરોજ 30-મિનિટના વીડિયો કૉલની સુવિધા આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.