2023 ક્રિકેટ વર્લ્ડ કપ માટે આ બે જગ્યા છે પાકિસ્તાનની ફેવરિટ

ભારતમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વનડે વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની પહેલી પસંદ ચેન્નઈનું ચેપક અને બીજું કોલકાતાનું ઈડન ગાર્ડન્સ છે. આ બે સ્ટેડિયમમાં પાકિસ્તાન પોતાની મોટાભાગની મેચો રમી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના સુત્રોએ જણાવ્યું કે, પહેલા પ્રવાસમાં પણ પાકિસ્તાને આ બંને જગ્યા પર સુરક્ષિત અનુભવ કર્યો હતો. ક્રિકેટ વર્લ્ડ કપની મેચ પાંચ ઓક્ટોબરથી શરૂ થવાની સંભાવના છે. આ દરમિયાન 46 મેચો રમાશે, જે 12 શહેરોમાં રમવામાં આવી શકે છે. તેમા અમદાવાદ, લખનૌ, મુંબઈ, રાજકોટ, બેંગલુરુ, દિલ્હી, ઇન્દૌર, ગુવાહાટી અને હૈદરાબાદ સામેલ છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ મુદ્દા પર ICC ના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. આ મામલા સાથે સંકળાયેલા ICC ના એક સુત્રએ PTI ને જણાવ્યા અનુસાર, ઘણુ બધુ એ વાત પર નિર્ભર કરે છે કે BCCI અને ભારત સરકાર શું નિર્ણય લે છે? પરંતુ, પાકિસ્તાન વર્લ્ડ કપની પોતાની મોટાભાગની મેચો કોલકાતા અને ચેન્નઈમાં રમવાનું પસંદ કરશે. આ સુત્રએ કહ્યું, પાકિસ્તાનના ખેલાડી 2016માં રમાયેલા T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત વિરુદ્ધ કોલકાતામાં મેચ દરમિયાન સુરક્ષાને લઇને ખુશ દેખાયા હતા. ચેન્નઈ પાકિસ્તાન માટે યાદગાર સ્થળ છે.

તેમજ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચોને આયોજિત કરાવવી ICC માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. અહીં દર્શકોની ક્ષમતા 132000 છે. પરંતુ, આ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ રમવામાં આવશે એમાં ભારત-પાકિસ્તાનની મેચનું આયોજન કોઇ અન્ય સ્થળ પર થશે. ICC આવનારા કેટલાક મહિનાઓમાં BCCI સાથે મળીને વર્લ્ડ કપનો કાર્યક્રમ તૈયાર કરશે.

ICC ના મહાપ્રબંધક વસીમ ખાને હાલમાં કહ્યું હતું કે, પાકિસ્તાન વર્લ્ડ કપ દરમિયાન પોતાની મેચોને બાંગ્લાદેશમાં રમી શકે છે. પરંતુ, PCB અધ્યક્ષ નઝમ શેઠી અને ICCએ તેને બકવાસ વાત કહી હતી. પાકિસ્તાને 2011 વર્લ્ડ કપમાં ભારત વિરુદ્ધ સેમીફાઇનલ મેચ મોહાલીમાં રમી હતી. તેનો ઈરાદો પાકિસ્તાનના પ્રશંસકો માટે સ્ટેડિયમ આવવું સરળ બનાવવાનો હતો. પરંતુ, આ વખતે મોહાલી BCCI ના વર્લ્ડ કપ વેન્યૂની યાદીમાં નથી.

એશિયા કપને લઇને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે પાકિસ્તાનથી સમાચાર આવ્યા હતા કે જો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ એશિયા કપ માટે નહીં કરશે તો પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપ માટે ભારત આવવાનો ઇન્કાર કરી શકે છે. જોકે, પાકિસ્તાનને જલ્દી જ એહસાસ થઈ ગયો કે તે હાલ ભારતની સાથે આ મામલા પર ટકરાવ ઝેલવાની સ્થિતિમાં નથી. પછી PCB અધિકારી એવુ કહેવા માંડ્યા કે તેમના તરફથી ક્યારેય વર્લ્ડ કપના બહિષ્કારની વાત કહેવામાં નથી આવી.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.