વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે આ બેટ્સમેનની પસંદગી કરવી જોઈએ, વસીમ જાફરે સૂચવ્યું નામ

ભૂતપૂર્વ ભારતીય ઓપનર વસીમ જાફરે વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે યશસ્વી જયસ્વાલને ટીમમાં પસંદ કરવાની વાત કરી છે. યશસ્વી જયસ્વાલે તાજેતરમાં પૂર્ણ થયેલી IPLમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું અને ઘણા રન બનાવ્યા હતા પરંતુ વસીમ જાફરનું માનવું છે કે ભારતીય ટેસ્ટ ટીમમાં તેની પસંદગી થવી જોઈએ.

ભારતીય ટીમ જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે, જ્યાં ટીમને 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચ રમવાની છે. પ્રથમ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવશે. ત્યાર બાદ 3જી ઓગસ્ટથી વનડે અને પછી T-20 શ્રેણીનું આયોજન કરવામાં આવશે.

વસીમ જાફરના મતે, આ બે મેચની ટેસ્ટ શ્રેણી માટે યશસ્વી જયસ્વાલને નવા ચહેરા તરીકે ટીમમાં સામેલ કરવો જોઈએ. મીડિયા સૂત્રો સાથે એક વાતચીતમાં, તેણે કહ્યું, યશસ્વી જયસ્વાલ ચોક્કસપણે તેમાંથી એક છે. તેણે દરેક ફોર્મેટમાં સતત રન બનાવ્યા છે. ભલે તમે IPL, ડોમેસ્ટિક ક્રિકેટ કે ઈન્ડિયા A જુઓ, તેણે સતત રન બનાવ્યા છે. મારા મતે તે ટેસ્ટ ટીમનો ભાગ હોવો જોઈએ. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં તે રિઝર્વ તરીકે ટીમમાં હતો. જોકે શુભમન ગિલ અને રોહિત શર્મા રમી રહ્યા હતા અને તેથી જ તેને તક મળી ન હતી. મારા મતે તેને ટીમ સાથે રાખવો જોઈએ, જેથી કરીને તેને તૈયાર કરી શકાય. આ પછી, જ્યારે તેને તક મળે ત્યારે તેને તક આપવી જોઈએ.

ઘર આંગણે રમાતી દરેક મેચમાં તેનું સતત પ્રદર્શન અને IPL 2023માં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શને તેને ભારતના ભાવિ સુપરસ્ટાર તરીકેની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરી છે. નક્કર ટેકનિક અને એક અલગ સ્વભાવ સાથે, જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે ભારતની ટેસ્ટ ટીમમાં પૂજારાને બદલે સામેલ થાય તેવી આશા છે. ભલે તે તાત્કાલિક અસર ન કરે, તો પણ, જયસ્વાલ પાસે ભારત માટે લાંબાગાળે પણ નંબર ત્રણ બનવા માટે જરૂરી તમામ પ્રતિભા અને કુશળતા છે.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા હરભજન સિંહે યશસ્વી જયસ્વાલને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 સીરીઝ માટે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હરભજન સિંહે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પોતાની T20 ટીમમાં રિંકુ સિંહ, તિલક વર્મા, આકાશ માધવાલ, જીતેશ શર્મા, યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણા જેવા ઘણા નવા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. IPL 2023 દરમિયાન આ તમામનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.