આ કંઈ ફોઈનું ઘર નથી કે ભારત..., શોએબ અખ્તરે એશિયા કપ ફાઈનલ પહેલા આપી ચેતવણી

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ભારત વિરુદ્ધ શ્રીલંકા એશિયા કપ 2023ની ફાઈનલ મેચ પહેલા રોહિત શર્મા અને બ્રિગેડને ચેતવણી આપી છે કે, શ્રીલંકા ફાઇનલમાં પણ અપસેટ સર્જી શકે છે. તે કહે છે કે, આ કંઈ ફોઈનું ઘર નથી કે ભારત એશિયા કપ આરામથી જીતી જશે. પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરે બાંગ્લાદેશ સામેની હારને ભારત માટે વેકઅપ કોલ ગણાવ્યો હતો. અખ્તરનું કહેવું છે કે, શ્રીલંકા સામેની ખિતાબની લડાઈ ભારત માટે આસાન બનવાની નથી.

અહીં તમને જણાવી દઈએ કે, એશિયા કપ 2023માં ભારતીય ટીમે અત્યાર સુધી 5 મેચ રમી છે જેમાં ટીમ ઈન્ડિયા 4 મેચ જીતવામાં સફળ રહી છે, જ્યારે બાંગ્લાદેશ સામે તેને એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો છે. ભારત શાકિબ અલ હસનની ટીમ સામે 5 ફેરફારો સાથે ઉતર્યું હતું, જેમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતનો 6 રનના નજીવા અંતરથી પરાજય થયો હતો. જો કે, તે માત્ર એક ઔપચારિક મેચ હતી, કારણ કે ટીમ ઈન્ડિયાએ પહેલા જ પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

શોએબ અખ્તરે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'અમને આશા ન હતી કે ભારત બાંગ્લાદેશ જેવી ટીમ સામે હારી જશે પરંતુ તેઓ હાર્યા. તે શરમજનક હાર હતી. પાકિસ્તાન શ્રીલંકા સામે હારી ગયું. તેઓ એશિયા કપમાંથી બહાર થઈ ગયા છે, જે વધુ શરમજનક છે. ભારત હજુ પણ ફાઇનલમાં છે, તેણે બધું ગુમાવ્યું નથી. તેમના માટે જોરદાર રીતે પાછા ફરે અને તેઓ ફાઈનલ જીતે તેની ખાતરી કરવી તે માત્ર એક મોટી ચેતવણી હતી, પરંતુ એવું ત્યારે થશે કે જ્યારે તેઓ ખરેખર સારું રમે તો જ. આ કંઈ ફોઈનું ઘર નથી જ્યાં ભારત જશે અને સરળતાથી જીતી આવશે. આવું કંઈ થવાનું નથી. તે એક અઘરી રમત બની રહેવાની છે.'

તેણે આગળ કહ્યું, 'ભારતને હરાવવા માટે શ્રીલંકા છે અને વર્લ્ડ કપમાં તે કોઈની પણ રમત હોઈ શકે છે. ભારતે જાગવાની જરૂર છે. તેઓ બાંગ્લાદેશ સામે હારી ગયા હતા.'

એશિયા કપ 2023માં ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર મેચ થઇ હતી જેમાં રોહિત શર્માની ટીમે 41 રનથી શાનદાર જીત નોંધાવી હતી.

અહીં તમને જણાવી દઈએ કે, એશિયા કપના ઈતિહાસમાં ભારત અને શ્રીલંકા 8 વખત સામસામે આવી ચૂક્યા છે. ભારત પાંચ વખત જીત્યું છે અને શ્રીલંકાએ ત્રણ વખત ભારતના ગૌરવને તોડ્યું છે. શ્રીલંકાએ પાકિસ્તાનને હરાવીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં ભારતે સાવચેત રહેવાની જરૂર છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.