NZ સામેની બીજી T20મા 1 બોલ બાકી રહેતા જીત મળવા પર હાર્દિક પંડ્યાએ જુઓ શું કહ્યું

હાર્દિક પંડ્યાના નેતૃત્વવાળી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને લખનૌના ઇકાના સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં 6 વિકેટે જીત હાંસલ કરી હતી. આ મેચમાં જીત હાંસલ કરીને ભારતીય ટીમે સીરિઝ 1-1થી બરાબર કરવામાં સફળતા મેળવી છે. મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, તે મેચના સમયે ડરેલો હતો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે હાર્દિક પંડ્યાએ એમ શા માટે કહ્યું.

ભારતીય ટીમે બીજી T20 મેચ 6 વિકેટે પોતાના નામે કરી હતી. લો સ્કોરિંગ લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે છેક છેલ્લી ઓવરમાં જીત મેળવી. આ જીત બાદ હાર્દિક પંડ્યાએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન પ્રતિક્રિયા વ્યક્તિ કરી. તેણે કહ્યું કે, ‘મને હંમેશાંથી જ વિશ્વાસ હતો કે અમે આ મેચ જીતીશું. જો કે, આ મેચ ખૂબ ડીપમાં જતી રહી. આ પ્રકારની મેચમાં હંમેશાં એ મહત્ત્વપૂર્ણ હોય છે કે વધારે પેનિક ન કરો. અમે રિસ્ક ન લીધું અને સિંગલ લેતા રહ્યા. આ પ્રકારની વિકેટ T20 માટે સારી નથી.’

તેણે આગળ કહ્યું કે, ‘એવું નથી કે અમને સંઘર્ષ કરવામાં કોઇ સમસ્યા છે. જો અહીં 120-130 રન બની જતા તો કદાચ એ વિનિંગ સ્કોર હોત. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 99 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડનો કોઇ પણ બેટ્સમેન 20 કે તેનાથી ઉપરનો આંકડો સ્પર્શી ન શક્યો. બ્લેક કેપ્સ તરફથી સૌથી વધુ રન કેપ્ટન મિચેલ સેન્ટનર (19 રન)એ બનાવ્યા. હતા.

ભારત માટે બોલિંગ કરતા અર્શદીપ સિંહને સૌથી વધુ 2 વિકેટ મળી હતી, જ્યારે હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, દીપક હુડા અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી હતી. 100 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ સારી ન રહી અને તેણે 70 રન પર જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, ત્યારબાદ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા અને વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગ સંભાળી અને એક બૉલ બાકી રહેતા ભારતીય ટીમને જીત અપાવી હતી. હવે સીરિઝ 1-1થી બરાબર થતા ત્રીજી અને અંતિમ મેચ નિર્ણાયક સાબિત થશે અને એ મેચ જે જીતશે તે સીરિઝ પણ પોતાના નામે કરી લેશે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.