રાહુલના હટ્યા બાદ વાઈસ કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે આ 3 ખેલાડીઓ

રવિવારે દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા પર બીજી ટેસ્ટ મેચમાં 6 વિકેટે જીતના થોડાં કલાક બાદ જ નવી સિલેક્શન કમિટીએ બાકી બે ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમ જાહેર કરી, તો તેમા માત્ર કેએલ રાહુલની વાઈસ કેપ્ટનશિપ છોડીને શરૂઆતી બે ટેસ્ટ મેચોની ટીમ સાથે કોઈ છેડછાડ કરવામાં નથી આવી. આ સિલેક્શન કમિટીએ આ નિર્ણય પરથી એ સ્પષ્ટ કરી દીધુ છે કે, હવે રોહિત શર્માના નાયબ તરીકે કોઈ અન્ય નામ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. નવી જાહેર કરાયેલી ટીમમાં જોકે કોઈ નવા વાઈસ કેપ્ટનના નામની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ, જો કોઈક કારણોસર રોહિત માની લો ટેસ્ટ મેચમાંથી હટી જાય તો સવાલ છે કે પછી કોણ કેપ્ટનશી કરશે. અહીં એવા ત્રણ ખેલાડીઓના નામ જણાવવામાં આવ્યા છે, જે ભારતના વાઈસ કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ છે.

રવિચંદ્રન અશ્વિન

જેવો દ્રષ્ટિકોણ, પ્રદર્શન અને કદ હાલ ભારતીય ટીમમાં રવિચંદ્રન અશ્વિનનું છે, તેને જોતા તેમા કોઈ બેમત નથી કે હાલ આ ઓફ-સ્પિનર ઓલરાઉન્ડર ભારતીય ટેસ્ટ વાઈસ કેપ્ટનની રેસમાં સૌથી આગળ છે. હાલના વર્ષોમાં અશ્વિને પ્રદર્શન દ્વારા સતત પોતાનું કદ ઊંચુ કર્યું છે. અશ્વિને આ સીરિઝની બે ટેસ્ટ મેચોમાં 64.4 ઓવરોમાં 14 વિકેટ લીધી છે. તે બંને ટીમોમાં રવીન્દ્ર જાડેજા બાદ સૌથી વધુ વિકેટ લેવાના મામલામાં અત્યારસુધી બીજા નંબર પર છે. તેમજ, ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી બનાવી ચુકેલા આ ઓફ સ્પિનરે દરેક ફોર્મેટમાં બતાવ્યું છે કે, તેને જરૂરિયાત પ્રમાણે બેટિંગ કરતા પણ આવડે છે અને તમે તેને માત્ર ઓફ સ્પિનરની નજરથી ના જોઈ શકો.

રવીન્દ્ર જાડેજા

ઈજાના કારણે છેલ્લાં આશરે પાંચ મહિનાથી સક્રિય ક્રિકેટથી દૂર રહેલા રવીન્દ્ર જાડેજાએ ધમાકેદાર કમબેક કરીને બતાવી દીધુ કે તેની અંદર સારું કરવાની આગ હજુ પણ છે. તેમા કોઈ બે મત નથી કે જાડેજા હાલ એ આંગળીઓ પણ ગણી શકાતા ભારતના ખેલાડીઓમાં સામેલ છે, જેમના વિના ત્રણેય ફોર્મેટોમાં ભારતીય ટીમની કલ્પના ના કરી શકાય. ચાલી રહેલી સીરિઝમાં જાડેજા અત્યારસુધી 17 વિકેટ લઈને નંબર વન બોલર બંને ટીમોમાં બન્યો છે, તો તેણે 2 ઈનિંગમાં 70ના બેસ્ટ સ્કોર સાથે 48ની સરેરાશથી બેટિંગમાં પણ સારું યોગદાન આપ્યું છે અને જાડેજાનું પણ પલડું વાઈસ કેપ્ટન બનવા માટે ખાસ્સું ભારે છે. એ કહેવુ ખોટું નહીં હશે કે, અશ્વિન અને તેની વચ્ચે મામલો ફિફ્ટી-ફિફ્ટીનો છે.

ચેતેશ્વર પુજારા

દિલ્હીમાં જ પોતાના કરિયરમાં ટેસ્ટ મેચોની સદી મારનારો ચેતેશ્વર પુજારા વધુ એક ખેલાડી છે, જેને BCCI તેના કરિયરના છેલ્લા દિવસોમાં વાઈસ કેપ્ટન બનવાની તક આપી શકે છે. પુજારા ભલે ઓછું બોલનારો અને શાંત હોય, પરંતુ તેની પાસે કેપ્ટનશિપ અને વાઈસ કેપ્ટનશિપ બંનેને જ સંભાળવા માટે પર્યાપ્ત અનુભવ છે. પુજારા વધુ એક દાવેદાર છે જેને ભારતીય ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન અથવા તો કહી શકાય કે સ્ટોપ-ગેપ વાઈસ કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.