સગીર કુસ્તીબાજે બ્રિજભૂષણ શરણ સિંહ સામેની FIR પાછી ખેંચી? પિતાએ સચ્ચાઈ બતાવી

PC: bharat.republicworld.com

બ્રિજભૂષણ શરણ સિંહ અને કુસ્તીબાજો વચ્ચે ચાલી રહેલા યુદ્ધે રવિવારે મોટો વળાંક લીધો હતો જ્યારે એવા અહેવાલો આવ્યા હતા કે FIR દાખલ કરનાર સગીર કુસ્તીબાજ તેના નિવેદનથી પલ્ટી મારી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ કુસ્તીબાજ તેના પરિવારના સભ્યો સાથે ગયા અને ત્યાર પછી કેસ પાછો ખેંચી લીધો છે. આ સમાચાર ફેલાતા જ બાળકીના પિતાએ આગળ આવીને સત્ય જણાવ્યું.

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, સગીરનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું હતું. જોકે, 2 જૂને કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન FIR નોંધાવનાર બાળકીના પિતા અને તેના દાદા હાજર હતા. જ્યારે યુવતીના પિતાનું કહેવું કંઈ બીજું જ છે.

મીડિયા સૂત્રો સાથે વાત કરતા છોકરીના પિતાએ કહ્યું, 'અમે હજુ પણ અમારા નિવેદન પર અડગ છીએ. હું આ સમયે ન તો હરિયાણામાં છું કે ન દિલ્હીમાં.' સગીરની ફરિયાદના કારણે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કારણોસર કુસ્તીબાજો સતત બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે.

અગાઉ મીડિયા સાથે વાત કરતા સગીર કુસ્તીબાજના પિતાએ કહ્યું હતું કે, 'દીકરીએ 16 વર્ષની ઉંમરે ઝારખંડના રાંચીમાં નેશનલ ગેમ્સમાં જુનિયર રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અહીં ફોટોગ્રાફ લેવાના બહાને બ્રિજભૂષણે પુત્રીને બળજબરીથી પોતાની નજીક ખેંચી લીધી હતી. તેને તેના બંને હાથોથી એટલી કડક રીતે પકડી લીધી હતી કે તે પોતાને મુક્ત કરવા માટે ખસી પણ શકી નહીં. બ્રિજ ભૂષણ તેના ખભા પરથી હાથ નીચે લઇ ગયો. બ્રિજભૂષણે દીકરીને કહ્યું કે, તું મને સપોર્ટ કરે અને હું તને ટેકો આપીશ.' FIRમાં વધુમાં જણાવાયું છે કે, જ્યારે સગીરે બ્રિજભૂષણ સામે સખત વાંધો ઉઠાવ્યો ત્યારે તેણે તેને કહ્યું કે, એશિયન ચેમ્પિયનશિપ માટે ટ્રાયલ ટૂંક સમયમાં યોજાવાની છે અને તે તેની સાથે સહકાર આપી રહી નથી. જેથી તેણીને આગામી ટ્રાયલમાં પરિણામોનો સામનો કરવો પડશે. આ તમામ બાબતો FIRમાં પણ કહેવામાં આવી છે.

ઓલિમ્પિયન કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ સામેના કેસ અંગે ચર્ચા કરી હતી. કુસ્તીબાજોની નજીકના એક સૂત્રએ મીડિયા સૂત્રોને કહ્યું, 'તેઓએ તેમની ચિંતા ગૃહ પ્રધાન સાથે શેર કરી. મિટિંગ લાંબા સમય સુધી ચાલી અને તેમણે બધું સાંભળ્યું. પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp