BCCIએ લીધો મોટો નિર્ણય, ન્યૂઝીલેન્ડ સામે T20 સીરિઝમાંથી બહાર થશે બે સ્ટાર ખેલાડી

ટીમ ઈન્ડિયા હાલના સમયે શ્રીલંકાની સામે ત્રણ મેચની T20 સીરિઝ રમી રહી છે, ત્યારબાદ બંને ટીમોની વચ્ચે ત્રણ વન ડે મેચ રમાવાની છે. શ્રીલંકા બાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારતનો પ્રવાસ કરશે. ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ 18 જાન્યુઆરીથી શરૂ થશે, આ દરમિયાન બંને ટીમો ત્રણ વનડે અને ત્રણ T20 મેચ રમશે. આ સીરિઝ પહેલા એક મોટી જાણકારી સામે આવી રહી છે. BCCI ટીમના બે સ્ટાર ખેલાડીઓને આ T20 સીરિઝમાંથી બહાર કરી શકે છે.

ન્યૂઝીલેન્ડ T20 સીરિઝમાંથી બહાર કરવામાં આવશે આ 2 ખેલાડીઓને

ટીમ ઈન્ડિયા 27 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચ રમશે. રિપોર્ટ મુજબ, આ સીરિઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમનો ભાગ નહીં હશે. BCCI 2024, T20 વર્લ્ડ કપની તૈયારીઓને જોતાં આ મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીને શ્રીલંકાની સામે રમાઈ રહેલી T20 સીરીઝમાં પણ જગ્યા નથી મળી.

BCCIના અધિકારીએ આપી મોટી જાણકારી

BCCIના એક ટોચના અધિકારીએ ઇનસાઇડસ્પોર્ટ સાથે વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે વાત કરતાં કહ્યું, 'દુર્ભાગ્યથી, તેમને ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે પસંદ અથવા તેમનો વિચાર કરવામાં નહીં આવશે. આ તેમને ટીમમાંથી બહાર કરવા અથવા કંઈપણ બીજું કરવા માટે નથી કરવામાં આવી રહ્યું, અમને લાગે છે કે અમારે ભવિષ્ય માટે એક સારી ટીમ બનાવવાની જરૂરત છે. બાકી અંતે જોવામાં આવશે કે, પસંદગીકારો શું નિર્ણય લે છે.' જ્યારે, ભુવનેશ્વર કુમાર, R અશ્વિન અને મોહમ્મદ શમીને આ સીરિઝમાંથી બહાર રાખવામાં આવી શકે છે.

વનડે સીરિઝમાં જોવા મળશે

ટીમ ઈન્ડિયા 10 જાન્યુઆરીથી શ્રીલંકાની સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે, 18 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડની સામે ત્રણ મેચની વનડે સીરિઝ થવાની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંને ખેલાડીઓ આ સીરિઝમાં પણ ટીમનો ભાગ બનશે, પરંતુ T20મા હવે તેમને તક મળવી મુશ્કેલ છે.

ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ

તારીખ                મેચ                  સ્થળ

18 જાન્યુઆરી      પ્રથમ વનડે          હૈદરાબાદ

21 જાન્યુઆરી      2જી વનડે            રાયપુર

24 જાન્યુઆરી      ત્રીજી વનડે           ઈન્દોર

27 જાન્યુઆરી      પ્રથમ T20          રાંચી

29 જાન્યુઆરી      બીજી T20          લખનૌ

1 ફેબ્રુઆરી          3જી T20           અમદાવાદ

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.