ચાર્ટર પ્લેનથી ભારત આવ્યો વિરાટ કોહલી, લોકોએ કેમ ઝાટકી કાઢ્યો

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અત્યાર સુધી વેસ્ટઈન્ડીઝના પ્રવાસે હતો. ટેસ્ટ સીરિઝ પછી કોહલીએ વનડે સીરિઝ રમવાની હતી. પણ કોહલી માત્ર પહેલી જ વનડે રમ્યો અને તેમાં પણ એણે બેટિંગ કરી નહોતી. છેલ્લી બે મેચોમાં કોહલીને આરામ આપવામાં આવ્યો. ત્યાર પછી જ્યારે વનડે સીરિઝ ખતમ થઇ ગઇ તો વિરાટ કોહલીએ ચાર્ટર પ્લેનથી વેસ્ટઈન્ડીઝથી ભારત આવવાનું નક્કી કર્યું. જોકે, અમુક લોકોને આ વાત પસંદ આવી નહીં અને કોહલીના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.

ભારત અને વેસ્ટઈન્ડીઝની વચ્ચે ટી20 સીરિઝ ચાલી રહી છે. પણ કોહલી સહિત અન્ય સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. છેલ્લી બે વનડેમાં કોહલી અને કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવવાના નિર્ણયની ટીકા કરવામાં આવી હતી. પૂર્વ ખેલાડીઓનું માનવું હતું કે વનડે વર્લ્ડ કપ નજીક છે એવામાં એક્સપરિમેન્ટ કરવું યોગ્ય નથી.

છેલ્લી બે વનડેમાં કેપ્ટન્સી કરનારા પંડ્યાએ કહ્યું હતું કે વર્લ્ડ કપ પહેલા ભારતના યુવા ખેલાડીઓને તક આપવા માટે રોહિત અને કોહલીને આરામ આપવાની જરૂર છે.

ગુરુવારે વિરાટ કોહલીએ તેની બે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાંથી એકમાં તે ચાર્ટર પ્લેનની બહાર ઊભો છે. જ્યારે બીજી તસવીરમાં તે પ્લેનમાં બેઠો છે. સોશિયલ મીડિયા પર અમુક લોકોને આ વાત પસંદ આવી નહી કે કોહલી એકલો વેસ્ટઈન્ડીઝથી ભારત ચાર્ટર પ્લેનમાં આવ્યો. લોકોનું કહેવું છે કે કોહલી પર્યાવરણનું ધ્યાન રાખી રહ્યો નથી. ચાર્ટર પ્લેન દ્વારા કાર્બન એમિશન વધારે થાય છે અને આ જ કારણ છે કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનની ટીકા થઇ રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, મારી ફ્લાઇટની વ્યવસ્થા કરવા અને સારી સેવા આપવા માટે એસીએસ એરચાર્ટર અને કેપ્ટન અબૂ પટેલનો આભાર. ઘણાં ફેન્સ અને ટ્વીટર પર લોકોએ આના પર ટિપ્પણીઓ કરી છે.

એક યૂઝરે લખ્યું કે, એક ચાર્ટર્ડ ફ્લાઇટ. વિચારેલું કે કોહલી આવુ નહીં કરે કારણ કે તેને વાયુ પ્રદૂષણની ઘણી ચિંતા છે. પણ તેની આ હીપોક્રેસી બહાર આવી ગઇ. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, તે અને તેની પત્ની અન્ય ગામોની તુલનામાં વધારે કાર્બન ઉત્સર્જિત કરે છે અને પછી તહેવારો પર સામાન્ય નાગરિકોને ગ્લોબલ વોર્મિંગ પર મફતનું જ્ઞાન આપે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.