વિરાટ કોહલી ખરાબ સમયમાં અનુષ્કાથી પણ ચિડાઇ જતો હતો, કહ્યું આ ખોટું કર્યું

વિરાટ કોહલીએ એક ઇન્ટર્વ્યુમાં ક્રિકેટમાં પોતાના ખરાબ સમયને યાદ કર્યો. તેણે કહ્યું કે, એ સમયે હું મારી પત્ની અનુષ્કા શર્મા સાથે પણ ખોટું કરી રહ્યો હતો. વિરાટે કહ્યું કે, જીવનમાં ફ્રસ્ટ્રેશન એટલું વધી ગયું હતું કે, હું ચિડાઇ ગયો હતો અને વાત વાત પર મોટા અવાજે વાત કરતો હતો. વિરાટે કહ્યું કે, તે પોતાની નબળાઇઓનો સામનો નહોતો કરી રહ્યો. થોડા દિવસો પહેલા વિરાટ કોહલીની મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થવાની ખબરો આવી રહી હતી. તેણે એક મહિનાનો બ્રેક પણ લીધો હતો. હવે ફરીથી વિરાટ તેના પર બોલી રહ્યો છે.

મંગળવારે વિરાટ કોહલીએ શ્રીલંકા સામે રમાયેલી પહેલી ODI સીરીઝમાં સેન્ચુરી મારી હતી. 87 બોલમાં 113 રન બનાવ્યા હતા. થોડા સમય પહેલા તે આઉટ ઓફ ફોર્મ હતો. જેના કારણે તે માનસિક રૂપે પણ હેરાન થઇ ગયો હતો. તેણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મારા કેસમાં સ્વીકાર કરવાનું અને ફ્રસ્ટ્રેશન ઘેરાતું જઇ રહ્યું હતું. હું એકદમ ચિડચિડો અને ગુસ્સા વાળો થઇ ગયો હતો. તે મારી પત્ની અને નજીકના લોકો સાથે પણ ઠીક ન હતો કરી રહ્યો. આ એ લોકો સાથે ખોટું છે જે તમને સપોર્ટ કરે છે. તેથી મારે જવાબદારી લેવી જોઇતી હતી.

વિરાટ કોહલીએ કહ્યું કે, હું ક્રિકેટથી દૂર થઇ રહ્યો હતો. મારા અટેચમેન્ટ્સ અને મારી ઇચ્છાઓ હાવી થઇ ગઇ હતી. ત્યારે મને અનુભવ થયો કે, હું જે છું તેનાથી દૂર ન ભાગી શકું. મારે પોતાને સાચું બોલવું જ પડશે, ભલે હું નબળો છું, નથી રમી રહ્યો, હું સૌથી ખરાબ ખેલાડી છું, મારે આ વાતનો સ્વીકાર કરવો જ પડશે. હું તેનાથી દૂર ન ભાગી શકું. વિરાટે એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, 10 વર્ષમાં પહેલી વખત આવું થયું હતું કે, જ્યારે તેણે ક્રિકેટ બેટ ન પકડી હોય.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન 11મી ડિસેમ્બર, 2017ના રોજ થયા હતા. બન્ને એક એડ ફિલ્મ શૂટ પર મળ્યા હતા. ત્યાર બાદ તેમણે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યું. ત્યાર બાદ તેમના બ્રેકઅપની ખબર પણ આવી હતી. પછી અચાનક લગ્નની તસવીરો શેર કરીને તેમણે ફેન્સને સરપ્રાઇઝ આપ્યું હતું. બન્નેની દિકરી વામિકા ગઇ 11મી જાન્યુઆરીના રોજ 2 વર્ષની થઇ છે.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.