માંજરેકરે કહ્યું- યુવા ખેલાડીઓના કારણે કોહલી પર ખૂબ દબાણ છે

વિરાટ કોહલીને શ્રીલંકા વિરુદ્ધ આગામી T20 સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેને માત્ર વન-ડે ટીમમાં જ જગ્યા મળી છે. તેને લઈને પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, યુવા ખેલાડી જેટલા પણ છે હવે તેમના કારણે વિરાટ કોહલી ઉપર દબાવ રહેશે કે સતત સારું પ્રદર્શન કરે. શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને T20 સીરિઝ માટે ભારતીય ટીમમાં ખૂબ બદલાવ થયા છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ઇજાના કારણે રમી ન શકનાર કેપ્ટન રોહિત શર્માની પણ વાપસી થઈ છે.

તે વન-ડે સીરિઝમાં ટીમની કેપ્ટન્સી સંભાળશે. એ સિવાય કે.એલ.રાહુલને ઉપકેપ્ટન્સી પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે અને હવે આ જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવે છે જે ભારતની T20 સીરિઝમાં કેપ્ટન્સી કરશે. બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં ન રમનાર રિષભ પંતને શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝથી બહાર રાખવામાં આવ્યો છે. એ સિવાય તેને T20 સીરિઝ માટેની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી. તેને ઇજા થઈ છે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોને માત્ર વન-ડે ટીમમાં જ પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે T20 ટીમમાં મોટા ભાગના યુવા ખેલાડીઓને ચાંસ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીને લઈને સંજય માંજરેકરે મોટી પ્રતિક્રિયા આપી છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. હું એજ ઈચ્છતો હતો કે, તે જેટલું વધારે થઈ શકે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે. તે દરેક મેચ માટે પૂરી રીતે તૈયાર રહે.

સંજય માંજરેકરે કહ્યું કે, હવે વિરાટ કોહલીને એ ખેલાડીઓ તરફથી જબરદસ્ત કમ્પિટિશન મળશે, જેમને તેની જગ્યાએ ચાન્સ મળી રહ્યો છે. આપણે જોયું છે કે ચાંસ મળવા પર ઇશાન કિશન અને સંજુ સેમસન જેવા ખેલાડી શું કરી શકે છે. જે પ્રકારનો વિરાટ કોહલીનો વર્લ્ડ કપ ગયો હતો, ત્યારબાદ તે અત્યારે પણ T20 સેટઅપનો હિસ્સો હશે અને મારું એમ માનવું છે કે તે પોતે T20 રમવા માગતો હશે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી બાંગ્લાદેશ વિરુદ્ધની સીરિઝમાં ફ્લોપ રહ્યો હતો. ટેસ્ટ સીરિઝમાં તેનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું હતું. આ જ કારણ છે કે વિરાટ કોહલી 6 વર્ષ બાદ કરિયરના સૌથી ખરાબ ટેસ્ટ રેન્કિંગ પર પહોંચી ગયો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.