માંજરેકરે કહ્યું- યુવા ખેલાડીઓના કારણે કોહલી પર ખૂબ દબાણ છે

વિરાટ કોહલીને શ્રીલંકા વિરુદ્ધ આગામી T20 સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેને માત્ર વન-ડે ટીમમાં જ જગ્યા મળી છે. તેને લઈને પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, યુવા ખેલાડી જેટલા પણ છે હવે તેમના કારણે વિરાટ કોહલી ઉપર દબાવ રહેશે કે સતત સારું પ્રદર્શન કરે. શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને T20 સીરિઝ માટે ભારતીય ટીમમાં ખૂબ બદલાવ થયા છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ઇજાના કારણે રમી ન શકનાર કેપ્ટન રોહિત શર્માની પણ વાપસી થઈ છે.

તે વન-ડે સીરિઝમાં ટીમની કેપ્ટન્સી સંભાળશે. એ સિવાય કે.એલ.રાહુલને ઉપકેપ્ટન્સી પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે અને હવે આ જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવે છે જે ભારતની T20 સીરિઝમાં કેપ્ટન્સી કરશે. બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં ન રમનાર રિષભ પંતને શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝથી બહાર રાખવામાં આવ્યો છે. એ સિવાય તેને T20 સીરિઝ માટેની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી. તેને ઇજા થઈ છે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોને માત્ર વન-ડે ટીમમાં જ પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે T20 ટીમમાં મોટા ભાગના યુવા ખેલાડીઓને ચાંસ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીને લઈને સંજય માંજરેકરે મોટી પ્રતિક્રિયા આપી છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. હું એજ ઈચ્છતો હતો કે, તે જેટલું વધારે થઈ શકે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે. તે દરેક મેચ માટે પૂરી રીતે તૈયાર રહે.

સંજય માંજરેકરે કહ્યું કે, હવે વિરાટ કોહલીને એ ખેલાડીઓ તરફથી જબરદસ્ત કમ્પિટિશન મળશે, જેમને તેની જગ્યાએ ચાન્સ મળી રહ્યો છે. આપણે જોયું છે કે ચાંસ મળવા પર ઇશાન કિશન અને સંજુ સેમસન જેવા ખેલાડી શું કરી શકે છે. જે પ્રકારનો વિરાટ કોહલીનો વર્લ્ડ કપ ગયો હતો, ત્યારબાદ તે અત્યારે પણ T20 સેટઅપનો હિસ્સો હશે અને મારું એમ માનવું છે કે તે પોતે T20 રમવા માગતો હશે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી બાંગ્લાદેશ વિરુદ્ધની સીરિઝમાં ફ્લોપ રહ્યો હતો. ટેસ્ટ સીરિઝમાં તેનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું હતું. આ જ કારણ છે કે વિરાટ કોહલી 6 વર્ષ બાદ કરિયરના સૌથી ખરાબ ટેસ્ટ રેન્કિંગ પર પહોંચી ગયો છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.