સેહવાગે પોતાની ડ્રીમ વન-ડે ઈલેવનના 5 ખેલાડીઓનું કર્યું સિલેક્શન, 3 ભારતીય સામેલ

ભારતીય ટીમના દિગ્ગજ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વિરેન્દર સેહવાગે પોતાની ડ્રીમ વન-ડે ઇલેવનમાં 3 ભારતીય ખેલાડીઓનું સિલેક્શન કર્યું છે. એ સિવાય એક ખેલાડી તેણે ઓસ્ટ્રેલિયા અને એક ખેલાડી ન્યૂઝીલેન્ડનો સિલેક્ટ કર્યો છે. વિરેન્દર સેહવાગે પોતાના ડ્રીમ વન-ડે ઇલેવનના પહેલા 5 ખેલાડીઓમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહનું સિલેક્શન કર્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ છેલ્લા એક દશકથી ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ખૂબ રન બનાવ્યા છે.

વિરાટ કોહલી સદીઓની બાબતે ખૂબ આગળ છે તો રોહિત શર્મા વન-ડેમાં ત્રિપલ સેન્ચુરી લગાવી ચૂક્યો છે. જસપ્રીત બુમરાહની વાત કરવામાં આવે તો તેણે પણ પોતાની બોલિંગથી ખૂબ સફળતા હાંસલ કરી છે. તેણે અત્યાર સુધી ઇન્ટરનેશનલ કરિયરમાં 324 વિકેટ પોતાના નામે કરી છે. વિરેન્દર સેહવાગે એ સિવાય ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર અને ન્યૂઝીલેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેન ગ્લેન ફિલિપ્સનું પણ સિલેક્શન કર્યું છે. ગ્લેન ફિલિપ્સ મિડલ ઓર્ડરમાં પોતાની શાનદાર ઇનિંગ્સમાં માટે જાણીતો છે.

ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા તરફથી ખૂબ રન બનાવી ચૂક્યો છે. તેણે વર્લ્ડ કપની 18 મેચોમાં 62ની એવરેજથી 992 રન બનાવ્યા છે અને આ દરમિયાન 4 સદી લગાવી ચૂક્યો છે અને આ દરમિયાન 4 સદી પણ લગાવી ચૂક્યો છે. તો ઓવરઓલ ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેને ઓસ્ટ્રેલિયા તરફથી અત્યાર સુધી 109 ટેસ્ટ, 143 વન-ડે અને 99 T20 મેચ રમી છે, જેમાં તેને ક્રમશઃ 8487, 6030 અને 2894 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે 25, વન-ડેમાં 19 અને T20માં એક સદી નોંધાયેલી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ વિરેન્દર સેહવાગે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વન-ડે ઇન્ટરનેશનલના પોતાના કરિયરમાં વિરેન્દર સેહવાગે 251 મેચોમાં 15 સદી અને 38 અડધી સદીની મદદથી 8273 રન બનાવ્યા. વન-ડેમાં એક સમયે પોતાના નામે સર્વોચ્ચ સ્કોર (219)નો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલો હતો, જેને પછીથી રોહિત શર્માએ તોડ્યો હતો. વિરેન્દર સેહવાગે 6 વખત વન-ડેમાં નર્વસ નાઇટીઝનો શિકાર પણ થયો છે, જેમાં એક વખત તે 99 રન પર નોટઆઉટ પણ રહ્યો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.