મને પણ WC રમવાની આશા છે અને હવે મોહમ્મદ આમિર પણ પાછો આવી શકે છે: વહાબ રિયાઝ

ભારતમાં આયોજિત થનારા આગામી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ભાગ લેવા પર અત્યારે પણ સંશય યથાવત છે. અત્યાર સુધી ફેન્સના મનમાં આ સવાલ થઇ રહ્યો હતો કે, બાબર આઝમ એન્ડ કંપની ભારતમાં થનારા 50 ઓવરના ટૂર્નામેન્ટમાં સામેલ થશે કે નહીં? જો પાકિસ્તાન વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કરે છે તો બધાની નજરો શાહીન શાહ આફ્રિદીની આગેવાનીવાળા તેના બોલિંગ આક્રમણ પર રહેશે.

શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફ સિવાય અત્યાર પણ 3 સ્લોટ માટે બાકી બોલરોમાં જબરદસ્ત ફાઇટ જોવા મળી રહી છે. જો કે, આ દરમિયાન પાકિસ્તાનના સીનિયર ફાસ્ટ બોલર વહાબ રિયાઝે પણ એક મોટું નિવેદન આપ્યું છે. એક પાકિસ્તાની ન્યૂઝ સાથે વાત કરતા અનુભવી બોલર વહાબ રિયાઝે કહ્યું કે, મને પણ વન-ડે વર્લ્ડ કપમાં રમવાની આશા છે. બાકી બચેલા સ્લોટ માટે પોતાની પ્રતિસ્પર્ધા તરફ ઇશારો કરતા કહ્યું કે, મોહમ્મદ આમિર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી શકે છે.

આપણને મોહમ્મદ આમિરને ફરી પાકિસ્તાન માટે રમતા દેખાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મોટા બદલાવ થયા છે. ત્યારબાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મોહમ્મદ આમિર પાકિસ્તાન માટે ફરી રમતો દેખાઇ શકે છે. રમીઝ રાજાના કાર્યકાળમાં મોહમ્મદ આમિરે સંન્યાસ લઇ લીધો હતો અને ખુલ્લેઆમ પોતાની નારાજગી દેખાડી હતી અને કહ્યું હતું કે, તે આ મેનેજમેન્ટ અંડર નહીં રમી શકે.

એવામાં હવે મેનેજમેન્ટ બદલાઇ ગયું છે તો બની શકે કે મોહમ્મદ આમિર પણ પોતાનો નિર્ણય બદલી દે. આ બાબતે આગળ વાત કરતા વહાબ રિયાઝે કહ્યું કે, આપણી પાસે શાહીન શાહ આફ્રિદી અને હરિસ રઉફ છે, પરંતુ અન્ય 3 જગ્યા અત્યારે પણ ઉપલબ્ધ છે. હસન અલી, શાહનવાઝ દહાની, નસિમ શાહ, મોહમ્મદ વસીમ જુનિયર જેવા દિગ્ગજ તેના માટે લડી રહ્યા છે. હવે આ લડાઇમાં મોહમ્મદ આમિર પણ પાછો આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે 30 વર્ષીય મોહમ્મદ આમિરે ડિસેમ્બર 2020માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ખરાબ વ્યવહારનો સંદર્ભ આપતા ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. આ નિર્ણય જુલાઇ 2019માં ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાના તેના નિર્ણય બાદ આવ્યો હતો. તે પાકિસ્તાનની 2019ના વન-ડે વર્લ્ડ કપનો હિસ્સો હતો અને 8 મેચોમાં 17 વિકેટ લઇને સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી પણ બન્યો હતો.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.