વોર્નરે મને કહેલું ટીમમાં તારું સ્થાન નિશ્ચિત નથી, તને બહાર કરી દેવાશે: ધવન

ટીમ ઈન્ડિયાનો ઓપનર શિખર ધવન તેની સ્પષ્ટવક્તા માટે જાણીતો છે. દરમિયાન, શિખર ધવને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેના ભૂતપૂર્વ સનરાઈઝર્સ સાથી ડેવિડ વોર્નર સાથે સંબંધિત એક રસપ્રદ વાર્તા શેર કરી છે. શિખર ધવને ખુલાસો કર્યો છે કે, ડેવિડ વોર્નર તેને સ્લેજ કરતો હતો. આ સાથે શિખર ધવને એ પણ ખુલાસો કર્યો છે કે, તે કેવી રીતે ઓસ્ટ્રેલિયન સ્ટારની સ્લેજનો જવાબ આપતો હતો.

સૂત્રો સાથેની વાતચીતમાં શિખર ધવને ખુલાસો કર્યો હતો કે, ડેવિડ વોર્નર ટેસ્ટ મેચો દરમિયાન તેને સ્લેજ કરતો હતો. શિખર ધવને કહ્યું, 'વિરોધીઓ તમને માનસિક રીતે તોડવાની કોશિશ કરશે, ખાસ કરીને ટેસ્ટ મેચોમાં. વોર્નર આવું ઘણું કરતો હતો. તે મને કહેતો હતો કે, ભારતીય ટીમમાં તારું સ્થાન નિશ્ચિત નથી. તમને બહાર કાઢવામાં આવશે. પણ પછી, હું પણ તેને પાછો સ્લેજ કરતો.

શિખર ધવને વધુમાં કહ્યું, 'ડેવિડ વોર્નરને એક સમયે જુગાર રમવાની લત લાગી હતી. એટલે હું એની એ નસ દબાવતો. હું જવાબ આપતો કે, 'તમે ફરીથી જુગાર રમવા પાછા જશો, તમે ફરીથી એક વ્યસની બની જશો. તમે તમારી માલિકીની દરેક વસ્તુ વેચી નાંખશો. જુઓ, આ પ્રતિસ્પર્ધા છે! આવી વસ્તુઓ થતી રહે છે.

અહીં તમને જણાવી દઈએ કે, શિખર ધવન વર્ષ 2018 સુધી તમામ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો અભિન્ન હિસ્સો હતો. તે IPL દરમિયાન SRH માટે ડેવિડ વોર્નર સાથે ઘણી સીઝન રમતા જોવા મળ્યો છે. ડાબોડી બેટ્સમેન 16 મેચમાંથી 10 જીત સાથે 2014માં સનરાઈઝર્સ હૈદરાબાદને પ્લે-ઓફમાં લઈ ગયો હતો. જો કે, આમ કર્યું હોવા છતાં, તેને આગલી સિઝનમાં સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર શિખર ધવન 2018 સુધી તમામ ફોર્મેટમાં ટીમનો અભિન્ન હિસ્સો રહ્યો હતો. ટેસ્ટ ટીમમાંથી તેને બાકાત રાખ્યા બાદ, ધવને મર્યાદિત-ઓવરના ફોર્મેટમાં ભારતીય ટીમ માટે મહત્ત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું હતું અને તેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની ગ્રૂપ મેચ દરમિયાન ટૂર્નામેન્ટમાં આંગળીની ઈજાને કારણે 2019ના વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં તેના અભિયાનને ટૂંકાવીને પરત ફર્યો હતો. 2021માં, ધવને T20I ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું અને આ વર્ષની શરૂઆતમાં, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં પણ ટીમમાંથી ગેરહાજર રહ્યો હતો.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.