જયદેવ ઉનડકટ માટે WTCમાં અકરમને છે મોટી આશા, જાણો શું કહ્યું

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને લઈને પાકિસ્તાનન પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વસીમ અકરમે મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જયદેવ ઉનડકટને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવો જોઈએ. વસીમ અકરમે તેની પાછળનું મોટું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, જયદેવ ઉનડકટ પાસે હવે એટલો અનુભવ થઈ ગયો છે કે તેને દરેક મેચમાં રમાડવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, વસીમ અકરમ જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કોચ હતા, ત્યારે જયદેવ ઉનડકટ પણ એ જ ટીમમાં હતો.

એ દરમિયાન વસીમ અકરમ પાસેથી તેને ઘણું બધુ શીખવાનું મળ્યું હતું. એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે ખાસ વાતચીત કરતા વસીમ અકરમે કહ્યું કે, ‘જયદેવ ઉનડકટ હવે એ સ્ટેજ પર આવી ગયો છે, જ્યાં તેણે રેગ્યૂલર રમવું જોઈએ. તેણે કેપ્ટન તરીકે રણજી ટ્રોફી પણ જીતી છે. હું તેને ત્યારથી જાણું છું જ્યારે તે 18 વર્ષના યુવા બોલર તરીકે મારી પાસે આવ્યો હતો અને ઘણું બધુ શીખવા માગતો હતો. વસીમ અકરમે કહ્યું કે, તે ખૂબ વિનમ્ર હતો અને શીખવા માગતો હતો. મોહમ્મદ શમી મને એરપોર્ટ પર પિક કરવા માટે આવતો હતો.

મને ખૂબ ખુશી છે કે તેણે જે શીખ્યું તેના કારણે આજે તે આટલો મોટો ખેલાડી બની ચૂક્યો છે. જયદેવ ઉનડકટ બૉલને સ્વિંગ કરાવે છે અને આ જ કારણે ઇંગ્લેન્ડમાં તે ખૂબ સફળ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 7 જૂનથી 11 જૂન (12 જૂન રિઝર્વ ડે) વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2021-23ની ફાઇનલ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમ પર નજર નાખીએ તો મોટા ભાગના એ જ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રહ્યા હતા.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે.એલ. રાહુલ, કે.એસ. ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.