જયદેવ ઉનડકટ માટે WTCમાં અકરમને છે મોટી આશા, જાણો શું કહ્યું

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને લઈને પાકિસ્તાનન પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વસીમ અકરમે મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જયદેવ ઉનડકટને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવો જોઈએ. વસીમ અકરમે તેની પાછળનું મોટું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, જયદેવ ઉનડકટ પાસે હવે એટલો અનુભવ થઈ ગયો છે કે તેને દરેક મેચમાં રમાડવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, વસીમ અકરમ જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કોચ હતા, ત્યારે જયદેવ ઉનડકટ પણ એ જ ટીમમાં હતો.

એ દરમિયાન વસીમ અકરમ પાસેથી તેને ઘણું બધુ શીખવાનું મળ્યું હતું. એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે ખાસ વાતચીત કરતા વસીમ અકરમે કહ્યું કે, ‘જયદેવ ઉનડકટ હવે એ સ્ટેજ પર આવી ગયો છે, જ્યાં તેણે રેગ્યૂલર રમવું જોઈએ. તેણે કેપ્ટન તરીકે રણજી ટ્રોફી પણ જીતી છે. હું તેને ત્યારથી જાણું છું જ્યારે તે 18 વર્ષના યુવા બોલર તરીકે મારી પાસે આવ્યો હતો અને ઘણું બધુ શીખવા માગતો હતો. વસીમ અકરમે કહ્યું કે, તે ખૂબ વિનમ્ર હતો અને શીખવા માગતો હતો. મોહમ્મદ શમી મને એરપોર્ટ પર પિક કરવા માટે આવતો હતો.

મને ખૂબ ખુશી છે કે તેણે જે શીખ્યું તેના કારણે આજે તે આટલો મોટો ખેલાડી બની ચૂક્યો છે. જયદેવ ઉનડકટ બૉલને સ્વિંગ કરાવે છે અને આ જ કારણે ઇંગ્લેન્ડમાં તે ખૂબ સફળ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 7 જૂનથી 11 જૂન (12 જૂન રિઝર્વ ડે) વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2021-23ની ફાઇનલ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમ પર નજર નાખીએ તો મોટા ભાગના એ જ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રહ્યા હતા.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે.એલ. રાહુલ, કે.એસ. ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.