48 વર્ષ બાદ વર્લ્ડ કપમાં નહીં જોવા મળે વેસ્ટ ઈન્ડીઝ, ટીમના ડૂબવાના 5 કારણો

PC: hindustantimes.com

ક્રિક્રેટના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે જ્યારે વેસ્ટઇન્ડિઝની ટીમ વન-ડે વર્લ્ડકપમાં ભાગ નહીં લેશે, આ પહેલા વેસ્ટઇન્ડિઝની ટીમે ODI વર્લ્ડકપની બધી 12 મેચોમાં ભાગ લીધો હતો. વર્લ્ડકપ માટે ક્વોલીફાય નહી કરી શકવું એ વેસ્ટઇન્ડિઝની ટીમ માટે ખાસ્સી શરમજનક બાબત છે.

વેસ્ટઇન્ડિઝની ટીમ ભારતમાં રમાનારી ICC ક્રિક્રેટ વર્લ્ડકપ 2023 માટે ક્વોલીફાય શકી નથી. શનિવારે, 1 જુલાઇના દિવસે હરારેમાં રમાયેલી વર્લ્ડકપ ક્વોલિફાયરની એક મહત્ત્વની મેચમાં સ્કોટલેન્ડે વેસ્ટઇન્ડિઝની 7 વિકેટથી હરાવી દીધું હતું. આ મેચમાં વેસ્ટઇન્ડિઝે સ્કોટલેન્ડન 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે સ્કોટલેન્ડે આસાનીથી પુરો કરી દીધો હતો. આવું પહેલાવીર બનશે જ્યારે બે વખતની ચેમ્પિયન ટીમ વેસ્ટઇન્ડિઝ વન-ડે વર્લ્ડકપમાં ભાગ લઇ શકશે નહીં.

ક્રિકેટ ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ODI વર્લ્ડ કપમાં ભાગ નહીં લે. અગાઉ વેસ્ટ ઇન્ડીઝે ODI વર્લ્ડ કપની તમામ 12 આવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન થવું એ કેરેબિયન ક્રિકેટ માટે મોટી શરમજનક બાબત છે.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ 1975 અને 1979ના વર્લ્ડ કપમાં પણ ચેમ્પિયન બની હતી. 1983ના વર્લ્ડકપમાં પણ આ ટીમે  ફાઇનલ સુધી પહોંચી હતી.આ વખતે ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝ એવી ટીમ જેવી લાગી ન હતી જે વર્લ્ડ કપમાં જવા માટે બેતાબ હતી. ક્વોલિફાયરની પાંચેય મેચોમાં શાઈ હોપની આગેવાની હેઠળની ટીમનું મનોબળ નીચું જોવા મળ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝના ખરાબ પ્રદર્શન પાછળ ઘણા કારણો જોવા મળ્યા છે.

વેસ્ટઇન્ડિઝની ટીમના ફિલ્ડીંગ ખરાબ રહી હતી. USAની સામે શરૂઆતી મેચમાં  ગજાનંદસિંહને શૂન્યના સ્કોર પર જીવતદાન મળ્યુ હતું અને તેણે નોટઆઉટ 101 રન ફટકારી દીધા હતા. ઝિમ્બાબ્વે સામેની મેચમાં તા 4 કેચ છુટ્યા હતા, જે ભારે પડી ગયા હતા. આ મેચમાં સિંકરદર રજાને 1 અને 3 રનના સ્કોર પર જીવતદાન મળ્યુ હતું, તેણે 68 રન બનાવ્યા હતા.રજાએ રયાન બર્લ સાતે 87 રનની ભાગીદારી કરી હતી. બર્લને પણ એક વખત જીવતદાન મળ્યુ હતું. કોચ ડેરેન સૈમી એટલા નિરાશ થયા હતા કે તેમણે વેસ્ટઇન્ડિઝને સૌથી ‘ખરાબ ફિલ્ડીંગ સાઇડ’નું લેબલ આપી દીધું હતું.

સ્કોટલેન્ડ સામેની મેચમાં બ્રેંડન મેકમુલેનનો કેચ કાઇલ મેયર્સે ડ્રોપ કરી દીધો હતો, ત્યારે તે માત્ર 21 રન પર બેટીંગ કરી રહ્યો હતો.

પ્રથમ ત્રણ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે જ્હોન્સન ચાર્લ્સને નંબર 3 પર બેટિંગ કરી હતી, જે એક નિષ્ણાત ઓપનિંગ બેટ્સમેન છે. જાણકાર ખેલાડી યાનિક કારિયા ઈજાને કારણે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, જેના કારણે ટીમમાં કોઈ લેગ-સ્પિનર બચ્યો ન હતો. વિશ્વ કપ ક્વોલિફાયરમાં વાનિન્દુ હસરંગા અને ક્રિસ ગ્રીવ્સે જે રીતે પ્રદર્શન કર્યું છે તે દર્શાવે છે કે ટીમમાં લેગ સ્પિનર હોવું ખૂબ જ ફાયદાકારક સાબિત થયું હોત. શમરાહ બ્રુક્સ પણ બીમારીના કારણે કેટલીક મેચો રમી શક્યો નહોતો.

નેધરલેન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝની મેચ ડ્રોમાં સમાપ્ત થયા બાદ સુપર ઓવરનો આશરો લેવામાં આવ્યો હતો, જેમાં વેસ્ટ ઇન્ડીઝને હારનો સામનો કરવો પડ્યો હતો. નેધરલેન્ડ્સ સામે સુપર ઓવરમાં બોલિંગ કરવા માટે અલ્ઝારી જોસેફ કરતાં જેસન હોલ્ડરને પસંદ કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ ચોંકાવનારો નિર્ણય હતો. હોલ્ડરે સુપર ઓવરમાં કુલ 30 રન આપ્યા હતા.

વેસ્ટઇન્ડિઝે વર્લ્ડકપ ક્વોલિફાયરની તૈયારી માટે સંયુક્ત અરબ અમીરાતમાં યજમાન ટીમની સામે 3 મેચોની વન-ડે સીરિઝ રમી હતી, પરંતુ આ મેચમાં જેસન હોલ્ડર, રોવમેન પોલ, અલ્ઝારી જોસેઉ, રોમારીયો શેફર્ડ અને અકીલ હુસેનને આરામ આપવામાં આવ્યો હતો. આ બધા ખેલાડીઓ કોઇ પણ તૈયારી વગર સીધા વર્લ્ડકપ ક્વોલીફાયર રમવા ઝીમ્બાબ્વે ગયા હતા.

વેસ્ટઇન્ડિઝની ટીમના બેસ્ટમેનોની શોટની પસંદગી સામે પણ સવાલો ઉભા થયા છે. વાઉસ કેપ્ટન રોવમેન પૌલ જે રીતે શોટ મારીન આઉટ થયો હતો, તે ચોંકાવનારી વાત હતી. પોવેલ એ પછી આગામી 3 મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સિલેક્ટ નહોતો થયો. સ્કોટલેન્ડ સામેની મેચમાં પણ વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓએ ખોટા શોટ માર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp